SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૩ ૨૭૯ હોવાથી ભગવાને અહીંયાં છોડાવ્યો છે. હવે, શરીરથી હું બ્રહ્મચર્ય પાળું, સ્ત્રીનું સેવન ન કરું, એવી શરીરથી જે એકત્વબુદ્ધિ માની હતી કે, હું કરી શકું છું અને હવે ન કરું, એવા અધ્યવસાયનો તો ત્યાગ કરાવ્યો પણ હું બ્રહ્મચર્ય પાળું), પર તરફનું બ્રહ્મચર્ય પાળું એવો શુભ ભાવ, એ પણ પરાશ્રિત હોવાથી સમકિતીને છોડવા લાયક છે. આહા..હા..! હવે, અહીંયાં હું પરિગ્રહ ન રાખું એવી જે પરની એકત્વબુદ્ધિ હતી એ તો છોડાવી, એ પરને ન રાખું એ પણ પરની સાથે એકત્વબુદ્ધિ છે, પણ હવે પરિગ્રહ ન રાખું એવો પાંચમાં મહાવ્રતનો જે અપરિગ્રહ ભાવ, એ પણ એક શુભ ભાવ (છે), એ પરાશ્રિત હોવાથી એને પણ છોડાવ્યો છે. અર.૨.૨...! અરે..! બાપુ ! ત્રણલોકના નાથ જિનેન્દ્રનો પંથ કોઈ અલૌકિક છે ! વાડામાં જન્મ્યા (એટલે માની કે) અમે જેન છીએ, જૈન છીએ. આહા...હા...! કરિયાતાની કોથળી અને ઉપર નામ – સાકર, કરિયાતાની કોથળી ભરેલી (એની) ઉપર નામ લખ્યું) સાકર ! એમ અંદર મિથ્યાત્વ ભાવ ભરેલો (છે), ઊંધી શ્રદ્ધા – આમ કરું ને આમ કરું ને આમ કરું. અમે જૈન છીએ ! માથું ફરી જાય એવું છે આ ! મુમુક્ષુ :- માથું હલકું થાય એવું છે. ઉત્તર :- આ તો હલકું થાય એવું છે. આ માથું નહિ, આત્માની દશાની વાત છે). મુમુક્ષુ - દીક્ષામાં પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની વિધિ લીધી છે. ઉત્તર :- એ તો અશુભ રાગ ટળવાની અપેક્ષાએ (વાત છે). જે શુભ રાગ છે એ હેય છે, આસવ છે. પંચ મહાવ્રતના પરિણામ એ આસવ છે, બંધના કારણ છે. આહા...હા...! મુમુક્ષુ :- પંચ મહાવ્રતના પરિણામ એ આસવ છે. ઉત્તર :- આસ્રવ છે. પુણ્ય છે ને ? અદ્વૈતભાવ છે એ પાપ છે, મહાવ્રત ભાવ છે) એ પુણ્ય છે. પણ વ્યવહારે એને ગ્રહણ કરવાની નયનું વાક્ય છે તે આવે. પણ છતાં એમાં અશુભ ટળે છે એટલી અપેક્ષાએ ગ્રહણ કરવું, પણ શુભ ભાવ જે છે (એ) આસવ છે, બંધનું કારણ છે. આવું છે. એકવાર કહ્યું હતું ને ? સંપ્રદાયમાં (સંવત) ૧૯૮૫ની સાલની વાત છે. અહીં તો ૧૯૯૧માં આવ્યા છીએ ને ? ૧૯૮૫માં બોટાદમાં વ્યાખ્યાન ચાલતું હતું. (અમારી) તો બહુ પ્રસિદ્ધિ હતી ને ? માણસો તો હજારો માણસ (સાંભળવા આવતા) ! બધા શેઠિયાઓ (આવતા), પચાસ-પચાસ હજારની પેદાશવાળા (શેઠ સાંભળવા આવતા). બધા સભામાં બેઠા. ત્યાં મોટી સભા ભરાય. નામ પડે કે, “કાનજીસ્વામી’ વાંચે છે એટલે માણસ (કીડીયારાની જેમ ઉભરાય). ૧૯૮૫ની વાત છે. કેટલા વર્ષ થયા ? ૪૯ ! બે વાત હળવે લઈને કરી કે, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ, પુણ્ય છે, અધર્મ છે. અપાસરામાં વ્યાખ્યાન ચાલતું હતું. આમ તો લોકોને અમારા ઉપર પ્રેમ હતો ને ! મહારાજ કહે છે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy