________________
૨૪૪
કલશામૃત ભાગ-૫
કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી...’ છે ને ? આને મેં માર્યો,..' આને મેં માર્યો, આને મેં જિવાડ્યો, આને મેં સુખી કર્યો,...' આ..હા..હા...! ‘આને મેં દુઃખી કર્યો... આહા...હા...! એવા પરિણામથી...’ વિમોહિત મૂઢ ઘેલો થયો છે.’ પાગલ (થયો છે). આહા....હા...! આમ ડાહ્યાનો દીકરો ગણાતો હોય, પાંચમાં પૂછાતો હોય ! આહા..હા...! પ્રભુ ! વીતરાગમાર્ગ જુદો (છે), ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! ત્રણલોકના નાથ એમ કહે છે કે, મેં આને જિવાડ્યો, માર્યો, સુખી કર્યો, સગવડતા આપી.... આહા..હા...! મેં આને એવું બધું શીખવ્યું અને શીખીને હવે બરાબર પાવરધો થઈ ગયો છે. કોને શીખવે ? પ્રભુ! તું શું કહે છે આ ? આહા..હા...!
એમ કરીને... આહા..હા...! વિમોહિત:’ ‘ઘેલો થયો છે.’ આહા..હા...! પાગલ છે, પાગલ આ તો ! દુનિયા તેને ડાહ્યો કહે, ધર્મી તેને પાગલ કહે. આહા...હા...! કેવો છે પરિણામ ?” છે ? જૂઠો છે. નિષ્ફળ... નિષ્ફળ. એને મારું, જિવાડું ઈ કરી શકતો નથી. મફતનો અભિપ્રાય કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
‘વિમોહિત:’ ‘ઘેલો થયો છે.’ આહા..હા...! ‘ભાવાર્થ આમ છે કે યદ્યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે...’ છે ? તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે.’ એનું રહેવું અને મરવું એ તો કર્મને કારણ છે. તું કહે, એને જિવાડી દઉં અને રાખી દઉં (એ મિથ્યા અભિપ્રાય છે). આહા..હા...! આના પરિણામોને આધીન નથી. તારા પરિણામને એ આધીન નથી. પ૨ને સગવડતા દેવી એ તારા પિરણામને આધીન નથી. આહા..હા...!
"
આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે.’ રાગ, દ્વેષ, મિથ્યાત્વ ભાવ કરે છે. આહા..હા...! એ છોડાવવા આ વાત કરી છે. એ છોડી દે, પ્રભુ ! એકવાર આત્મા કોણ છે એને જાણ ! એ આનંદનો નાથ અંદર છે. એ જ્ઞાનની મૂર્તિ છે એને ઓળખ અને એનું જ્ઞાન ક૨ (તો) તારા જન્મ-મરણ મટી જશે. વિશેષ કહેવાશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(રૂન્દ્રવપ્રો)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककन्दोऽध्यवसाय एष
નાસ્તીહૈં યેષાં યતયસ્તવ।।૨૦-૨૭૨TT