SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કિલશામૃત ભાગ-૫ અને એને છુટું કર્યું. જામનગરના વ્હોરા હતા. વ્યાખ્યાનમાં આવતા. એવી સ્થિતિમાં પણ જંગલમાં એકલો વાઘ અને વરુ વચ્ચે પણ ધર્મી જેને આત્માના આનંદના ભાન થયા છે. હું તો ચિદાનંદમૂર્તિ છું ! એને એવા પ્રસંગમાં પણ ભય અને શંકા પડતી નથી કે, મારો નાશ થશે ! શરીરનો નાશ થાય તો એ શરીર તો નાશવાન છે જ. તે તો નાશ થાશે. આહાહા...! આકરું કામ, ભાઈ ! પ્રતિકૂળતા, અશાતાના ઉદય આવતાં... આહા...! (અજ્ઞાનીને) તો કંપારી ઊઠે (કે) એ. પક્ષઘાતની અસર લાગે છે ! જાળવજો, પક્ષઘાત થશે.. હાય... હાય..! પેલો ધ્રુજી ઊઠે ! અહીં કહે છે, અંદરમાં પક્ષઘાત થઈ ગયો છે. રાગથી ભિન્ન પડીને આત્માનું ભાન થયું છે તો પક્ષઘાત થઈ ગયો છે. આ..હા..હા...! બહારના ગમે તેટલા ઉપસર્ગ અને પરિષહ હોય છતાં “શુદ્ધ સ્વરૂપના અનુભવથી સહજ ગુણથી સ્તુલિત થતા નથી.” આ..હા..હા...! છતાં એવા પ્લેગ આદિ ગામમાં આવે તો સમકિતી ત્યાંથી જાય પણ ખરો, (ત્યાંથી નીકળી જાય. પણ અંતરમાંથી ખસતો નથી. એ બધા લેખ છે. ગામમાં પ્લેગ આવ્યો હોય અને બધા બહાર નીકળે તો પોતે પણ બહાર ચાલ્યા જાય. એમ નહિ કે ત્યાં જ પડ્યો રહે. સૌની સાથે કુટુંબને લઈને બહાર બીજા ગામમાં નીકળી જાય, પણ છતાં અંદરમાં એ નિર્ભય છે. આહા..હા...! એવો વિકલ્પ આવ્યો કે, અહીંથી બધા જાય છે, અહીં દેશમાં તો કોઈ રહેતું નથી. પ્લેગ જબ્બર થઈ ગયા છે. દરરોજ બસોબસો માણસ મરતા હોય, દસ હજારની વસ્તિ હોય (અને) ભાગો... ભાગો.. (થતું હોય તો) પોતે ભાગે ! એથી એને ભય થયો છે એમ નથી. આ..હા...હા..! એ તો વજના બિંબને - ચૈતન્યપ્રભુને ચોંટ્યો છે ને ! આ..હા..હા..! ત્યાં ધ્રુવ સાથે દાંડી વગાડી છે. સમજાણું કાંઈ ? આ..હા...! આવું સમ્યક્દૃષ્ટિનું માહાસ્ય છે એ કાંઈ સાધારણ આલીદુવાલીની વાત નથી. આહાહા..! ભાવાર્થ આમ છે.” છે ને ? કે – કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને શાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઈષ્ટ ભોગસામગ્રી હોય છે....” શાતાના ઉદયે સમકિતીને ઇન્દ્રના ઇન્દ્રાસનો હોય, ચક્રવર્તીના રાજ હોય. સમકિતીને ભોગભૂમિ જુગલિયામાં ત્રણ ત્રણ ગાઉના શરીર (હોય) અને આયુષ્ય રહે ત્યાં સુધી ખાવાનાં કલ્પવૃક્ષના ફળ મળે. છતાં સમ્યક્દષ્ટિ ત્યાં છે, સમ્યક્દષ્ટિ ત્યાં ભોગભૂમિમાં પણ છે, એ શાતાને લઈને સામગ્રીના) પ્રેમમાં આવી નથી જતા. આહા..હા...! એ સામગ્રી છે માટે અનુકૂળ છે એમ રાજીપો નથી થતો. આહા..હા...! એ સામગ્રીમાં પણ ધર્મી તો જાણનાર-દેખનાર રહે છે કે, આ છે, બસ, એટલું. ઈ શાતાની વાત છે. “અશાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ...” અશાતાના ઉદયને લઈને શરીરમાં રોગ (આવે). આહાહા...! ક્ષયરોગ, દમ.... કહેવાય આ ? ગળાના થાય છે ઈ... કેન્સર !
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy