SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૫૪ ૧૧ પણ છતાં આયુષ્યને લઈને (બચી ગઈ ! આવી સ્થિતિમાં પણ સમ્યક્દષ્ટિને ત્રાસ હોતો નથી કહે છે !! હજી કાલે જ વાંચ્યું હતું. ભાઈ ! એમાં અંદરથી કોઈ આવી ચડ્યો હોય.. આહાહા...! પણ એ નિર્ભય છે, સાહસ છે ! આ.હા..હા..! હું જ્ઞાતા-દષ્ટા છું એમાં મને કોઈ હલાવી શકે (એમ) છે નહિ. આવી વ્યાધિ, વજપાત પડ્યા ! માથે અગ્નિ પડતી હોય ! આ.હા...હા...! પણ જેને આત્માના આનંદનું ધ્રુવ સ્વરૂપનું ભાન થયું. આ.હા...હા...! એને અંદરમાં આત્માના આનંદ આગળ પ્રતિકૂળતાના ઉપસર્ગ અને પરિષહ લાખ-કરોડ હોય (છતાં) “ક્ષમત્તે’ – જાણનારદેખનાર રહે છે. એને ભય થતો નથી ! આ..હા...હા..! કહો, પેલી છોડીએ) અગિયાર, બાર દિ' ખાધું શું હશે ? એમાં નથી લખ્યું પણ વનસ્પતિ ઝેરીલી (હોય) એટલે ખાધું ન હોય પણ જુવાન છોડી હતી, એટલે અગિયાર, બાર દિ નદીના પાણી-બાણી પીને કાઢ્યા હશે. આહા..હા...! અહીં કહે છે કે, અશાતાના ઉદયને લઈને એથી પણ કોઈ અનંતી પ્રતિકૂળતા આવી પડે પણ સમકિતી ત્યાંથી – ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિથી શ્રુત થતા નથી. આહા...હા...! સમજાણું કાંઈ ? હજી કાલે જ વાંચ્યું છે. ભાઈ ઈ ચોપાનીયુ મૂકી ગયા હતા. એક આકાશનું મૂક્યું હતું. આકાશમાં એમ કે આ તારાઓ છે એને દૂરબીનથી દેખે તો મણિ-રત્ન હોય એમ દેખાય. (એવું) આકાશનું કાંઈક મોટું લખ્યું હતું. એનું આપણે કાંઈ કામ નહોતું. આહા..હા..! ન મળે પાણી પીવા, ન મળે આહાર લેવા ! ક્યાં નજર નાખે ? ક્યાંય ગામ ન મળે. હવે સાહસ કરીને પણ (રહી), મિથ્યાદૃષ્ટિ હતી) છતાં આટલું સાહસ કર્યું ! અહીં કહે છે કે, સમ્યદૃષ્ટિને.. આહા..હા...! છે ? “મહાન વજ પડવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવરાશિ શુદ્ધસ્વરૂપના અનુભવથી સહજ ગુણથી અલિત થતો નથી.” આ..હા..હા...! મારો પ્રભુ આનંદનો નાથ છે એ આનંદના સ્વાદમાંથી ખસતો નથી કહે છે. આવા પ્રતિકૂળતાના ગંજ હોય તોપણ ! આ..હા...હા...! સમજાણું કાંઈ ? એક વ્હોરા હતા ઈ કહેતા હતા. જામનગર ચોમાસુ હતું ત્યારે એક વ્હોરો હતો એનું નામ ભૂલી ગયા. વ્યાખ્યાનમાં આવતા. એ કહે, અમે જંગલમાં ચડી ગયા. વહાણ એવી રીતે ચડી ગયું કે, હેઠે શું કહેવાય ? લોહચુંબક ! દરિયામાં અંદર લોહચુંબકના ડુંગરા ! એટલે વહાણને ખેંચી લીધું. ખેંચીને ક્યાંય જંગલમાં મૂકી દીધું. નહિ પાણી, નહિ આહાર, નહિ કાંઈ. કહે, અમે ત્રણ દિ ત્યાં રહ્યા. પછી શું કર્યું ? કે, પેલા નાળિયેર હતા ને ? નાળિયેર ! અને હેઠે સડેલા પાણી ! પાણીની અંદર નાખ્યા) અને નાળિયેરના મીઠા પાણી થઈ ગયા. એ નાળિયેર તોડીને એમાંથી પાણી પીવે અને ટોપરા (ખાય) ત્રણ દિ' કાઢ્યા. ઈ વ્હોરા કહેતો હતો. ત્રણ દિ (રહ્યા). એવા ઘણા માણસો હતા). આખું વહાણ લોહચુંબકને લઈને ખેંચાઈ ગયું, નીકળે નહિ. પછી તો ત્રણ દિએ વળી બીજું વહાણ આવ્યું
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy