SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૯ ૨૨૭ ગયો છે. આહા..હા..! દુનિયાથી તો જુદી વાત છે. આ ડૉક્ટરો-બોક્ટરો બીજાને જીવાડી ન શકે, એમ કહે છે. પણ બોલે તો એમ, “અડધો કલાક મોડું થઈ ગયું. જો તમે વહેલા આવ્યા હોત તો હું કાંઈક ઉપાય કરત, હવે તો ઉપાય ચાલે એવું નથી. એ.ઈ....! એમ બધા ડૉક્ટર બોલે. ‘જરી મોડું થઈ ગયું, ભાઈ ! અડધા કલાક પહેલાં જો મને બોલાવ્યો હોત તો કાંઈક ઉપાય કરી શકત, અત્યારે તો કાંઈ થાય નહિ).” એમ બોલે છે ને ? આહા..હા..! એનો ઉપાય અડધા કલાક પહેલા કરવા જેવો હતો. હવે તો રોગ ઘેરાય ગયો કાલે એક બાઈ આવી હતી ને ? બે-ત્રણ મહિના અહીં રહી. દમનું દર્દ (હતું), કાલે સાંજે એ બિચારી બાઈ આવી હતી. તેર વરસથી દમનું દર્દ છે. આહા...હા..! ગયા હશે, છે ? રોકાણા છે ? લ્યો, બિચારા કેટલા હતા ? તેર વરસથી દર્દ ! ડૉક્ટરે રજા આપી. હવે અહીં દમ મટાડવાનું કોઈ સાધન નથી. આહા...હા...! કોણ મટાડે ? બાપા ! શું થાય ? ભાઈ ! એ અશાતાના ઉદય કાળે એ સ્થિતિ બને એને કોણ ટાળે ? ડૉક્ટરે રજા આપી કે. અહીં ક્ષયના રોગમાં દમ મટે એવું સાધન નથી. આહા..હા..! પેલો એક મોટો ડોક્ટર નહોતો ? કોણ કહેવાય? “રાજકોટનો મોટો ડોક્ટર ! સર્જન ! એનો બાપ બાર વરસ અસાધ્ય. પહેલા ભાવનગરમાં હતા. ખબર છે ને? પછી “રાજકોટ ગયો, ખબર છે. અસાધ્ય ! સાધ્ય નહિ, લ્યો ! ડૉક્ટરનો બાપ ! પાણી આપે ને એવી રીતે કરીને બાર બાર વરસ (કાઢ્યા). કોણ કરે ? બાપુ ! એની સ્થિતિની જડની જે પર્યાય (થાય) અને ચૈતન્યની જે પર્યાય થવાની તેને કોણ રોકે અને કોણ ટાળે ? આહા...હા...! આવી વાતું છે, બાપુ ! અહીં તો કહે છે) જ્ઞાતા-દ્રષ્ટા થા ! થાય તેને જો અને જાણ ! થાય તેને કરું એ રહેવા દે ! સમજાણું કાંઈ ? આહા...હા...! જુઓ ! આવ્યું. ( UિT) છે ને ? “કર્મના ઉદયે જેટલી ક્રિયા થાય છે તેને હું કરું છું...” આહા..હા...! એનો શ્લોક છે, “સમયસાર નાટકમાં ! (“બંધ દ્વાર', શ્લોક-૨૪) મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌ કરી કહૌ જો ઐસી, મેં કર્તા – મેં આ કર્યું, હું આમ કરીશ, હું કરાવીશ. કહો, એ.ઈ. મેં કરતા મેં.” એવી ભાષા આવે છે. મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌં કરી કહીં જો ઐસી. એ વિપરીત ભાવ હૈ જામેં. સો વરસૈ મિથ્યાત દસામેં.” એ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આમાં છે, હોં ! કેટલામો છે ? ઘણા શ્લોક નાખ્યા છે. આના માટે તો ઘણા શ્લોક નાખ્યા છે. આ આવ્યું, લ્યો ! જુઓ, આવ્યું ! ૨૪ છે. મેં કરતા મેં કીન્હી કૈસી, મેં કર્યું ! મેં કેવું કર્યું ! જોયું ? આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. મેં કરતા મેં કીન્હી કૈસી, અબ યૌ કરી કહીં જો ઐસી. એ વિપરીત ભાવ હૈ જામેં, સો વરતૈ મિથ્યાત દસામેં.” આ શ્લોક છે. આના ઘણા શ્લોક છે, બહુ શ્લોક નાખ્યા છે. એક જ (અર્થના) ઘણા શ્લોક નાખ્યા છે. “સમયસાર નાટક' ! આહા...હા...!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy