________________
૨૨૬
કલશામૃત ભાગ-૫
હશે, હમણાં બે-ચાર મહિના થયા. ક્યાંકથી ઢોરમાંથી આવ્યા હશે, કોઈ માણસ મરીને આવ્યો હશે, પણ એને અત્યારે (એમ લાગે કે), બસ ! આ..હા..હા...! અમે આ શરીર ! આ પૂંછડી લટકે. આપણા છે ને ? પૂજારી ! રોટલો-બોટલો નાખે, બોલાવે (એટલે) ઝટ આવે આમ એકદમ ! ત્યાં દેરાસરની પાછળ (હોય છે). આહા...હા...! જુઓ ! કીધું આ જીવ ક્યાંથી આવ્યા હશે ? આહા..હા...! મહિના-બે મહિના પહેલાં ક્યાં હશે ? અને કયાં અહીં આવ્યા ? ભૂલી ગયા, ગતિ જ ભૂલી ગયા. (અહીંયાં આવીને) આ શરીર (જ હું) ! આહા..હા...! એ માને છે કે હું તિર્યંચ છું, નારકી છું એ મિથ્યાદૃષ્ટિ છે. (આત્મા વળી) નારકી કેવો ?
હું દુઃખી,...’ છું. અમે દુઃખી છીએ, ભાઈ ! અમારા ઉપર ઘણા કાગળો આવે છે એમ કે, અહીંયાં કરોડોપતિ છે તો કો'કને કાંઈક કહો ! અમે દુ:ખી છીએ, ઘરના સાતઆઠ માણસ છીએ ને હું માંદો છું, મારાથી કાંઈ થાતું નથી. હવે ઝેર પીવાના ટાણા આવ્યા છે. એવા કાગળ આવે, ભાઈ ! એકનો કાગળ તો કેટલા વરસથી આવે છે ! ચાર-છ મહિને, ચાર-છ મહિને કાગળ આવ્યા જ કરે. હવે તો છેલ્લી સ્થિતિ છે, મહારાજ ! દયા કરો, ઝેર પીવાના ટાણા આવ્યા છે. આહા..હા...! ઈ દુ:ખની સામગ્રી છે એ તો એના અશાતાના ઉદયને લઈને છે. એ સામગ્રીને ટાળે કોણ ? અને આપે કોણ ? આહા..હા...!
અહીં તો અત્યાર સુધી કોઈ દિ' પુસ્તક બનાવવાનું પણ કહ્યું નથી, એક બેન(–બહેનશ્રીનાં વચનામૃત) સિવાય. બેનનું પુસ્તક આવ્યું તો એમાં પહેલેથી પડ્યો છું. બાકી બીજે ક્યાંય આપણે આ પુસ્તક બનાવો ને તમે કો, (કોઈને) કોઈ દિ' કાંઈ કીધું નથી કે આ સ્વાધ્યાય મંદિર બનાવો કે દેરાસર કરો. આપણે કહ્યું નથી. દેરાસર માટે (એક મુમુક્ષુ) આવ્યા હતા. કહે કે, “મારે દેરાસર કરવાનો ભાવ છે.’ ભલે', કીધું. આહા..હા...! ૫૨ની ચીજ કોણ કરે ? થવા કાળે થાય તેને કરે કોણ ? આહા..હા...! આવી વાત છે.
અહીં એ કહે છે કે, એને એ કર્મનો અહંકાર છે. છે ને ? હું સુખી,...' છું. હમણા છોકરાઓ, બૈરાઓ, પૈસા, મકાન (આદિ) બધી રીતે સુખી છું, હું સુખી છું. એમ કેટલાક માને છે ? મૂઢ છે, કહે છે. સુખો કે દિ' (હતો) ત્યાં ? પૈસેટકે કમાણીમાં બધી રીતે અત્યારે (સારું) છે. આહા..હા...! મૂઢ છે, કહે છે. મિથ્યાદૃષ્ટિ કર્મજનિત સામગ્રીમાં પોતાપણું માને છે. છે ને ?
‘એવી કર્મજનિત...’ કોણ ? હું દેવ એ કર્મનિત (અવસ્થા) છે. મનુષ્ય કર્મનિત, તિર્યંચ, નારક, સુખી-દુ:ખી કર્મને કા૨ણે સંયોગો છે. એવી કર્માનિત પર્યાયમાં છે આત્મબુદ્ધિ,...’ એ મારી ચીજ છે, મેં કરી છે ! આહા..હા...! હજી બીજા શબ્દ (કહેશે).
?
—
‘તે-રૂપ જે મનપણું,..’ છે ને ? (સેન) ઈ રસ ચડી ગયો છે, કહે છે. આહા...હા...! હું દેવ છું ને મનુષ્ય છું ને દુઃખી છું ને સુખી છું... એવા મિથ્યાત્વભાવનો એને રસ ચડી