________________
કળશ-૧૬૭
૨૦૧ સ્વ-પરને જાણવું એવો એનો સ્વભાવ છે. હવે એણે જેણે જાણ્યું નથી (ઍને) સ્વની સામગ્રીમાં જાણવાની આટલી તાકાત છે એવી શક્તિ પ્રગટી નથી. એ પરસામગ્રીને ઇચ્છે છે. આહા..હા..! કે, અનુકૂળ સ્ત્રી હોય, અનુકૂળ પૈસો હોય, અનુકૂળ મકાન હોય. આહા..હા..! એવી અભિલાષા મિથ્યાદૃષ્ટિને હોય છે. આકરી વાતું છે. | ‘7 : રોતિ મયં ન નાનાતિ હવે સામો પક્ષ લીધો. અને જે કોઈ મિથ્યાષ્ટિ જીવ કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે...” જોયું ? એટલે કે એને લઈને મને ઠીક પડશે એનો અર્થ કે એ ચીજને, એણે પોતાની માની. આહા..હા..! રાગને લઈને મને ઠીક પડશે, પર સામગ્રીને લઈને મને ઠીક પડશે એવો ભાવ જેનો છે... આહા..હા..! એણે પરને પોતાનું માન્યું. પોતાને પરથી ઠીક પડશે, રાગથી મને ઠીક પડશે, મને રાગથી નિશ્ચયનો લાભ થશે એનો અર્થ જ એણે રાગને પોતાનો માન્યો. આહા..હા...! સમજાણું કાંઈ ?
શરીરની અનુકૂળતા હોય તો મને ધર્મમાં ઠીક પડે. એવી જેને અભિલાષા છે તેણે આત્મા અને આત્માના ગુણો કે બીજા દ્રવ્ય અને એના ગુણોને જાણવાની એની દશા છે નહિ, એને અભિલાષાની દશા છે. આહા..હા..! આમાં તો બહુ જવાબદારી છે). આહા..હા..!
“અને જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ... પેલો સામે સમ્યકુદૃષ્ટિ જીવ હતો ને ? ઈ (નાનાતિ) હતો. હવે આ મિથ્યાદૃષ્ટિ જીવ કર્મની વિચિત્ર સામગ્રીને....... કર્મની વિચિત્ર (સામગ્રીમાં) રાગ પણ આવે, સંયોગ પણ આવે (અને) બધું આવે. ઈ બધી કર્મની વિચિત્ર સામગ્રી છે. આહા...હા..! સંયોગી ભાવ અને સંયોગી ચીજ (બધું આવે). આહા..હા..! હવે આ વાદવિવાદ કરે કાંઈ પાર પડે એવું છે આમાં ?
‘તુ યઃ ઋતિ અયં ન નાનાતિ એ વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને (અભિલાષા કરે છે). પોતારૂપ જાણીને એણે કેમ લખ્યું ? ‘ક્રોતિ કરે છે એનો અર્થ જ પોતાપણું માને છે. એથી એને કરવાનો ભાવ થયો છે. પરને મેળવું, રાગને કરું... આહા...હા...! સમજાણું કાંઈ ?
પોતારૂપ જાણીને અભિલાષા કરે છે. એમ ભાષા છે, જોયું ? કરે છે એવો ભાવ થયો એનો અર્થ કે પરને પોતાપણે માને છે. કરવામાં એણે લાભ માન્યો ને ? ત્યારે એ લાભ પરને લઈને થયો એમ માન્યું એ અભિલાષા મિથ્યાદૃષ્ટિની છે. આહા..હા...! એક એક શ્લોકમાં કેટલું ભર્યું છે ! આહા..હા...! તેથી કુંદકુંદાચાર્યદેવે નિયમસારમાં કહ્યું ને ? ભાઈ ! સ્વસમય અને પરસમયમાં વાદવિવાદ કરીશ નહિ, બાપુ ! કારણ કે અલૌકિક ચીજને જો તે જાણી હોય તો તે તેના) વેદનમાં રહે, અનુભવમાં રહેજે. આહા..હા...વાદવિવાદમાં પાર નહિ પડે. શાસ્ત્રમાં વ્યવહારના લખાણ, લક્ષણ પણ એટલા લખ્યા હોય એને પકડે કે, જુઓ ! આમાં કહ્યું. પણ એ વ્યવહાર જાણવાલાયક છે. સમજાણું કાંઈ ? કેમકે જ્ઞાનની