SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ કળશ-૧૬૬ ઇચ્છાથી થતી નથી. આહા..હા...! તેમાં એને પ્રેમ નથી. જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું” (મદ્ ર્ષ) (ગામન્ ર્મા ઇચ્છા વિનાની ક્રિયાઓ થાય છે એનો એ સ્વામી નથી. આહા...હા...! ભારે કામ ! આ બોલવાની ક્રિયા છે એ પણ આત્માની નથી. આ દેહ આમ ચાલે છે એ આત્માની ક્રિયા નથી. એ તો જડની છે. આહા...હા...! ધર્મી જીવને પૂર્વના કર્મને કારણે એવા સંયોગો દેખાય. સમજાય છે કાંઈ ? આહા..હા..! પણ અવાંછિત છે. એમાં ઇચ્છા છે નહિ. આહા..હા...! આ તે કંઈ (વાત છે) ! અકારણ... છે ને ? (એક્ઝામ ) “અવાંછિત ક્રિયારૂપ છે તેથી.' (ારVi મત) કર્મબંધનું કારણ નથી – એમ ગણધરદેવ માન્યું છે,” એમ સાચા સંતોએ આમ જાણ્યું અને માન્યું છે. સમ્યક્રદૃષ્ટિને પૂર્વના કર્મને કારણે અવાંછિત ક્રિયા થાય છે તેને બંધનું કારણ નથી. એમ સંતો સાચા મુનિઓએ એમ માન્યું છે. આહા..હા..! આમાં દુનિયા સાથે કાંઈ મેળ ખાય એવું નથી. આહા...! છે ને ? બે વાત કીધી ને ? (સામન્ હર્મ, (oIRUાં મતમ) એમ. ઇચ્છા વિના જે કાર્ય થાય છે, એની મેળાએ શરીરાદિની ક્રિયાઓ આદિ (થાય છે) એ (%ામ ) આહા..હા....! એ ઇચ્છા વિના થયેલું કામ છે. ( ાર મત) એ બંધનું કારણ નથી. આહા...હા...! ભારે ઝીણા શબ્દો, ભાઈ ! પ્રશ્ન :- ઇચ્છા નથી કે ઇચ્છાની ઇચ્છા નથી ? સમાધાન :- ઇચ્છા જ નથી. રુચિ નથી એટલે ઇચ્છા જ નથી. ઇચ્છાનો જાણનારો થઈ ગયો છે). ઝીણી વાત બહુ, જરી આકરું કામ છે. (સામન્ , (ાર મતમ્) “એમ ગણધરદેવ માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે...” “ઋતિ નાનાતિ ’ ‘કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે.” જોયું ? શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ પૂર્વના કર્મને લઈને મળ્યા અને એમાં એને રુચિપૂર્વક ગમે છે. સમજાણું કાંઈ ? પ્રશ્ન :- ભૂખ્યા કેમ રહેવાય ? સમાધાન :- ભૂખ્યું કોણ રહે છે ? અને કોણ ખાય છે ? ઈ તો જડની ક્રિયા છે. રોટલા, દાળ, ભાત, શાક થાય એ તો જડની ક્રિયા છે, આત્મા ખાતો નથી, આત્મા એને જાણે છે. અજ્ઞાની માને છે કે, હું કરું છું. જ્ઞાની માને છે કે, હું જાણું છું. આટલો ફેર છે. આહા..હા...! જેને પરથી ભેદજ્ઞાન થયું છે ઈ પરની ક્રિયાનો કર્તા થઈ શકતો નથી. આહાહા..! હું બીજાને સમજાવી શકું છું ઈ ભાષા જડની છે. એનો કર્તા થાય એ પણ મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહા..હા...! આવી વાત છે. જેનાથી ભગવાન આત્મા જુદો છે એનું કરે છે એમ માને છે એ બધું એત્વબુદ્ધિ મિથ્યાત્વ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy