SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૬ ૧૮૩ ચૈતન્ય ઉપયોગસ્વરૂપ ભગવાન પૂર્ણ ! એના પરિણમનમાં રાગને એકત્વપણે કરવું. આહા..હા..! એ જ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંધનું કારણ છે. એ સમ્યક્દષ્ટિને હોતું નથી. માટે તેને કર્મવર્ગણા આદિથી બંધ નથી. જીવ-અજીવનો ઘાત થાય તો બંધ નથી એ અપેક્ષાએ કહ્યું છે. પણ તેનું અવલંબન લઈ અને પ્રમાદી થઈ વાંછાથી ભોગને ભોગવે, સુખની બુદ્ધિથી ભોગને ભોગવે અને પ્રમાદી થઈ જીવ-અજીવનો ઘાત કરે તો એ તો એને બંધનું કારણ છે. આહાહા...! જાણી કરીને... છે ને ? જુઓ ! જીવનો ઘાત થયો તો થયો, એમ નહિ. આહા..હા..! સમ્યક્દષ્ટિને એમ નથી કે, જીવનો ઘાત થયો તો થયો, મારે શું ? એ તો જ્ઞાતાપણાના પુરુષાર્થમાં રહ્યો છે. શું કહ્યું ? સમ્યકુદૃષ્ટિ સ્વરૂપના ઉદ્યમમાં રહેલો છે. આ..હા..! રાગની પ્રમાદમાં રહ્યો નથી. આહા...હા...! શું કહ્યું છે ? શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે તે સ્વરૂપના જ્ઞાતા-દષ્ટાપણાના ઉદ્યમમાં રહેલો છે. એ અંદર ઉદ્યમ કરે છે. સ્વભાવ તરફ વિશેષ જવામાં, એકાગ્ર થવાનો ઉદ્યમ કરે છે. આહા..હા...! છે ને ? એવી નિરંકુશ વત્તિ જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી.” વાંછાથી અને સુખબુદ્ધિથી ભોગને ભોગવે અને પ્રમાદી થઈને જીવઘાત કરે. “પ્રમત્ત યોII IIT વ્યUિTH હિંસા' પ્રમાદભાવ છે એ જ પ્રાણના હિંસાનું કારણ છે. આહા..હા... પછી પરના પ્રાણનો નાશ થાઓ કે ન થાઓ. પ્રમાદભાવ જ્યાં સ્વના પુરુષાર્થથી ચૈતન્યના જ્ઞાતા-દૃષ્ટાના પુરુષાર્થથી હટી ગયો અને એ રાગના પુરુષાર્થમાં ગયો એને બંધનું કારણ છે. સમજાણું કાંઈ ? આવી વાત છે. ‘એવું તો ગણધરદેવ માનતા નથી. એમ કહે છે. આચાર્યો એમ કહે છે કે, પ્રમાદી થઈ સ્વરૂપના જ્ઞાતાના પુરુષાર્થને છોડી દઈ.. આહા..હા...! સમ્યક્દષ્ટિને સ્વભાવ તરફનો પુરુષાર્થ કાયમ ચાલુ છે. સમજાણું કાંઈ ? એવા પુરુષાર્થને છોડી દઈ અને રાગના કામમાં ભાવમાં પ્રમાદથી પુરુષાર્થ કરે અને એને બંધન નથી એમ નથી. આહા...હા...! એમ ગણધરદેવ માનતા નથી. એટલે કે આચાર્યો એમ કહેતા નથી એમ કહે છે. શા કારણથી નથી માનતા? કારણ કે.” “ના નિરત્ના વ્યવૃતિ: ત્નિ તાતનમ્ પત્ર’ ‘બાયતમ્ પર્વ” નિરંકુશપણે આચરણ, સ્વછંદપણે ભોગ કરે અને સ્વચ્છંદપણે જીવનો ઘાત કરે. આહાહા...! બુદ્ધિપૂર્વક – જાણી કરીને.. આહા...હા...! “અંતરંગ રુચિથી.. જોયું? આહા..હા..! ભોગની રચિ, હિંસા કરવાના રાગની રચિ. આહા..હા..! પેલી અજીકાએ તો એમ લખ્યું છે કે, રુચિપૂર્વક રાગને કરવો. બળજોરીથી રાગનો કરવો. શુભભાવ (એવી રીતે કરવો) ! રુચિથી રાગ કરવો એ તો મિથ્યાત્વ છે. અહીંયાં તો કહે છે, બુદ્ધિપૂર્વક જાણી કરીને રુચિથી (કરે). પુણ્યના ભાવમાં અને પાપના ભાવમાં જેને રુચિ છે, એ રુચિથી જે વિષય-ભોગ આદિનું કામ લે છે, એને બરાબર પૂર્ણ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy