________________
કળશ-૧૬૪
૧૭૫
દુકાન !' આ..હા...! આત્મા શું છે એની ખબરું ન મળે. એ તો નથી પણ હજી આ કરું... આ કરું... આ કરું... આખો દિ' હું.. હું.. હું... (કરીને) મરી જઈશ. મારાથી ચાર વરસ મોટા હતા, હોં ! સાંભળે. મરતા ઈ જ થયું.
આહા..હા...! અહીં કહે છે કે, જેને શ૨ી૨થી જીવનો ઘાત થાય છતાં અંતરમાં જેને રાગની એકતાબુદ્ધિ નથી એને બંધન છે નહિ અને જેના શરીરથી કોઈ એકેન્દ્રિય જીવની ઘાત ન થાય એવી જેને દયાનો ભાવ હોય છતાં જેને અંતરમાં રાગની દયાના ભાવના રાગની એકતાબુદ્ધિ છે એ મિથ્યાત્વનું – અનંત સંસારનું બંધન કરે છે. આવી વાતું છે. વાત તો આવી છે. આહા..હા...!
ઈ અહીં કહે છે. મુનિનો તો દૃષ્ટાંત દીધો. કેમકે એ સમિતિથી ચાલે છે એ અપેક્ષાએ. અવિરત સમકિતષ્ટિને સમિતિથી ચાલવાનું ન હોય. એથી એનો દાખલો ન આપ્યો પણ બાકી તો સમ્યષ્ટિ જીવ પણ એના શરીરથી જો ઘાત આદિ થાય... આ...હા...હા...! છતાં તેને બંધન છે નહિ. કેમકે ઈ જ્ઞાતા-દૃષ્ટાપણે ઊભો છે. જાણના૨-દેખનાર હું છું, હું રાગનો કર્તા અને રાગ મારી ચીજ જ નથી. આહા..હા....! સમજાણું કાંઈ ? અને અજ્ઞાની દયા પાળે, વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, કરોડોના દાન આપે છતાં તેને અંદર રાગની એકતાબુદ્ધિ છે તો મિથ્યાત્વથી બંધન છે. આહા..હા...!
—
રાગ
‘ઉપયોગભૂમિ’ એ શબ્દ લીધો છે ને ? ધ્રુવ ભૂમિકા જે નિત્યાનંદ પ્રભુ ! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા ! એવી જે ભૂમિ નામ પોતાનો સ્વભાવ... આહા..હા...! એની સાથે ક્ષણિક દયા, દાન, વ્રત કે કામ, ક્રોધના અશુભ ભાવને મારા તરીકે માને છે, આત્માની (સાથે) એકતાબુદ્ધિ મિશ્રણ કરી નાખે છે એ અનંત સંસારના ભાવને બાંધે છે. અનંત સંસારની વૃદ્ધિ કરે છે. ભાઈ ! આમાં તો બધું પાણી ઉતરી જાય એવું છે. આહા..હા...! અમે હોશિયાર ને અમે ડાહ્યા, (પણ) શેમાં ? રખડવામાં. અરે......!
—
—
અહીં આચાર્ય ઈ કહે છે, જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે.’ છે ને ? તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી;...' છે ? જીવઘાત થાય એને કા૨ણે બંધ છે ઈ છે જ નહિ. છતાં આગળ કહેશે, હોં ! વસ્તુસ્થિતિ આવી છે પણ છતાં નિરર્ગળ અંકુશ વિના વાંછાથી ઈ જીવને મા૨વાનો ભાવ રાખીને તને બંધ નથી એમ જો માન તો મરી જઈશ. આહા..હા...!
તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી;..' એ જીવ મરે એનાથી બંધન કાંઈ નથી. આ..હા..હા...! કઈ અપેક્ષાએ કહે છે ? બાપુ ! એમાં એનો ભગવાનઆત્મા પૂર્ણ જ્ઞાન અને આનંદનું ઘન શુદ્ધ ધ્રુવ નિત્ય પ્રભુ ! એની સાથે ક્ષણિક વિકૃત સાથે એકપણે મેળવે, ઉપયોગભૂમિકામાં આ રાગને એકપણે કરે, બસ ! એ સંસારનું કારણ મિથ્યાસૃષ્ટિ છે. આ..હા..હા..હા...! માટે સમ્યગ્દર્શન પ્રગટ કરો એમ કહેવામાં આવે છે. મૂળ વાત. એમાં