SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કિલશામૃત ભાગ-૫ જીવ છે અને એક એક જીવની સાથે એક એક તૈજસ અને કાર્મણ શરીર છે. એ એકેન્દ્રિય જીવનો કોઈ ઘાત કરે છે ? એકેન્દ્રિય છે ને ? એકેન્દ્રિયાદિ.” તેમ બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિયનો પણ કોઈ ઘાત થાય.. આહા..હા..! “જીવના સંબંધ રહિત પાષાણ...” એકેન્દ્રિયાદિ જીવનું શરીર અને તે જ જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો મૂળથી વિનાશ અથવા બાધા-પીડા....” આહાહા! લાકડાના કટકા કરે અને લીમડાના જીવને મારે એ બંધનું કારણ નથી કહે છે. થોડી ઝીણી વાત છે. એને અંદર રાગ જે વિકત ક્ષણિક ઉપાધિ વિભાવ (થાય છે), ચાહે તો શુભ હો કે અશુભ, એ ત્રિકાળી પરમાત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ ! ત્રિકાળી નિત્યાનંદ ભાવ ! એને ક્ષણિક વિકૃત અવસ્થા જે રાગ – પુણ્યનો કે પાપનો, શુભ કે અશુભનો.... આહા..હા..! એ એક સમયની વિકૃત દશાને ત્રિકાળી સ્વભાવ સાથે એકતા કરે. ઝીણી વાત છે, બાપુ ! અનંતકાળથી રખડે છે. આહા..હા..! આ કારણે એ પરિભ્રમણ કરી રહ્યો છે કહે છે. એકેન્દ્રિયાદિના જીવની ઘાત થાય એથી અહીં પાપબંધન થાય એમ નથી કહે છે. છે ? એકેન્દ્રિયાદિ એટલે બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિયનું શરીર. “જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો મૂળથી વિનાશ...” મૂળથી નાશ કરે. આહા..હા..! પંચેન્દ્રિય જીવનો ઘાત થાય. આહા...હા...! સમ્યક્દષ્ટિ જીવ જેને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા (કરીને) જ્ઞાતા-દષ્ટા થયો છે એની લડાઈમાં કહે છે, લાખો પંચેન્દ્રિય માણસ મરે એનો એને બંધ નથી અને એ બંધના કારણ પણ નથી એમ કહે છે. આહા...હા...! જેણે રાગ અને સ્વભાવ બે ભિન્ન પાડ્યા છે એવા જીવને એના શરીરથી કે હથિયારથી એ પંચેન્દ્રિયના પ્રાણ જાય એનું એને બંધન નથી. ઝીણી વાત છે. પ્રશ્ન :- આ ચોથો બોલ છે ઈ મુનિની અપેક્ષાએ વાત છે ? સમાધાન :- ના, આ તો બધાની વાત છે. દાખલો મુનિનો આપશે પણ છે વાત બધા સમકિતીની. પ્રશ્ન :- સમકિતીને... ? સમાધાન :- એને પણ નથી. એને રાગની એકતા નથી (માટે) વધ થાય એમાં બંધ નથી. મુનિનો દૃષ્ટાંત આપશે. પ્રશ્ન :- ત્રીજા બોલમાં સમ્યફદૃષ્ટિની વાત લેવી છે ? સમાધાન :- બધે સમકિતદૃષ્ટિની વાત છે. પણ આ દાખલો અહીંયાં આપશે કે, જો પંચેન્દ્રિય જીવના વધથી બંધ થતો હોય તો કહેશે, જુઓ ! બાધા-પીડા તે પણ બંધના કર્યા નથી.” આહા..હા...! બીજાના શરીરનો નાશ થાય, કરે. એના શરીરથી નાશ થાય અને એને બાધા-પીડા ઉપજાવે અને મોટા પથરાના કટકા,
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy