________________
કળશ-૧૬૪
૧૬૫ અશુદ્ધ પરિણામ છે તો એને કર્મનો બંધ થાય. “કામણવર્ગણાનો સહારો કાંઈ નથી. જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી. પહેલું અસ્તિથી લીધું. હવે નથી તો કર્મબંધ નથી. તો પછી) કાર્મણવર્ગણાનો સહારો પણ નથી. તો કાર્મણવર્ગણા એમાં છે નહિ. આહાહા...!
(વર્તનાત્મજં ) હવે બીજો બોલ લીધો. “મન-વચન-કાયયોગ..” એ મન, વચન ને કાયાનો યોગ – કંપન તે પણ બંધનો કર્તા નથી. આહા...હા...! “ભાવાર્થ આમ છે કે – જો મન-વચન-કાયયોગ બંધનો કર્તા થતો હોત તો તેરમા ગુણસ્થાને મન-વચન-કાયયોગ છે,... આહા...હા...! બે મનના, બે વચનના અને ત્રણ કાયાના એવા સાત યોગ ત્યાં તેરમે (ગુણસ્થાને) છે. સમજાણું ? સત્ય અને વ્યવહાર – બે મન યોગ. સત્ય અને વ્યવહાર – બે વચન યોગ. ઔદારિક, મિશ્ર અને કાશ્મણ એવા સાત યોગ છે. છતાં બંધનું કારણ નથી. આહા.હા...! સમજાણું કાંઈ ?
રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી;.” મન-વચન-કાયા છે માટે બંધ છે (એવી) એની કાંઈ સહાય નથી. આહા...હા..! સમજાય છે કાંઈ આમાં ? મન, વચન અને કાયાની ક્રિયા અને ભાવ તો તેરમે પણ છે કહે છે. જો એનાથી બંધ થતો હોય તો એને બંધ થવો જોઈએ) પણ એને તો બંધ છે નહિ. રાગની એકતાબુદ્ધિ વિના ફક્ત કાર્મણવર્ગણાથી બંધ થતો નથી અને બંધ થાય છે તો રાગની એકતાબુદ્ધિથી થાય છે, વર્ગણાથી નહિ. આહા...હા...! આવા Logicથી તો સમજાવ્યું છે. બધી વાતયું મોટી મોટી કરે અને લોકોને રાજી રાજી કરી નાખે આમ ! આણે આમ કર્યા ને આણે વ્રત પાળ્યા ને આણે અપવાસ કર્યા એમાં એને ઉજવ્યું. શું કહેવાય ? વ્રત કર્યા એને ઉજવ્યું. શું કહેવાય? ઉજવણું કર્યું ! એમાં પાંચ લાખ ખર્ચો. હાથીને હોદ્દે બેસાડીને આવ્યા, પછી એને માળા આપી. અરે. પ્રભુ ! શું છે પણ આ બધું ? એ બધી ક્રિયાઓ તો પરની છે એમાં જો તેં રાગની એકતા કરી હોય તો મિથ્યાત્વ અને બંધનું કારણ છે. આહા...હા...! આવી વાત આકરી લાગે. આ તો તમે એકલું નિશ્ચય. નિશ્ચય કહો (છો). પણ નિશ્ચય એટલે સત્ય જ આ છે. સમજાણું કાંઈ ? આહાહા....!
મન-વચન-કાયયોગનો સહારો કાંઈ નથી... છે ને ? (અનેoUIT) પાંચ ઇન્દ્રિયો – સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, છ મન...” પાંચ ઇન્દ્રિય અને છઠું મન. આ પણ બંધના કર્તા નથી.” આહા...હા...! આ જડ પાંચ ઇન્દ્રિયો બંધના કર્તા નથી, તેમ
મન.
“સમાધાન આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને પાંચ ઇન્દ્રિયો છે,...” આ.હા...! મન પણ છે... આહાહા....! તેમના દ્વારા પુદ્ગલદ્રવ્યના ગુણોનો જ્ઞાયક પણ છે. પુ લદ્રવ્યના ગુણનો જ્ઞાની જાણનારો પણ છે. આ..હા..હા...! જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત.” આહા...હા...! અહીં તો મિથ્યાત્વ