________________
૧૬ ૨
કલામૃત ભાગ-૫ એકતા કરે એવો જે મિથ્યાત્વ ભાવ એ પરની સહાય અને બીજાની અપેક્ષા વિના એકલો બંધનું કારણ છે. આહાહા.! સમજાણું કાંઈ ?
ભાષા છે ને ? જુઓને ! (વનં) (નિ ) એકલો ખરેખર. પાછો એમ શબ્દ છે. એ મિથ્યાત્વ ભાવ એટલે ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ ! એને પરિણામમાં રાગની એકતા કરે છે. આહા..હા...! ચાહે તો શુભરાગ હો પણ જે અવિકારી સ્વભાવમાં સાથે વિકારને જોડી દે છે એ મિથ્યાત્વ એકલો જ બીજાની સહાય વિના, બીજા તત્ત્વ અને બીજા ભાવની મદદ વિના એકલો બંધનું કારણ છે. આહા...! કહો, ભાઈ ! આ બધું સાંભળ્યું પણ નથી, આખી જિંદગી આમને આમ હીરા ને માણેકમાં પૂરી કરી). આહા..હા..!
ત્રણલોકનો નાથ આત્મા અંદર મુક્તસ્વરૂપ છે. આહા..હા...! મુક્તસ્વરૂપની સાથે રાગબંધ અને એકતા કરે... આહા..હા...! પરિણામમાં (એકતા કરે છે), દ્રવ્યમાં તો એકતા થાય જ (એવું) ક્યાં છે ? આહાહા...! પરિણામમાં એકતા કરી તોપણ દ્રવ્ય તો જે શુદ્ધ છે ઈ શુદ્ધ જ છે. એમાં જરીયે અશુદ્ધતા થતી નથી. આહા...હા...! આવો માર્ગ છે. આહા...હા......! જે કોઈ ભગવાનઆત્મા જેની ચૈતન્યભૂમિકા છે, જાણવું-દેખવું એ જ જેનું સ્થાન અને ભૂમિકા છે, એમાં જેને રાગનો કોઈપણ નાનામાં નાનો સૂક્ષ્મ વિકલ્પ... આહા..હા..! ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ પણ પોતે પોતાના જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ વીતરાગમૂર્તિ પ્રભુ ! એની સાથે આ રાગને એકત્વ કરે છે એ એકલું મિથ્યાત્વ, બીજા નિમિત્તોની સહાય વિના એકલો બંધનું કારણ છે. આહા..હા...! આ..હા...! આ નરક અને નિગોદના કારણ છે કહે છે. બે શબ્દ પડ્યા છે ને ?
) અને (નિ ) એકલો નિશ્ચયથી એમ (એનો અર્થ છે). કથંચિત વ્યવહારથી અને કથંચિત આ નિશ્ચયથી એમ નહિ). આહા...હા...! (નિ ) નિશ્ચયથી કહીએ છીએ કે, ભગવાન વીતરાગમૂર્તિને રાગ સાથે જોડી દે છે, મિશ્ર કરી નાખે છે, એકલો વીતરાગભાવ રાખતો નથી એની સાથે રાગને મિશ્રિત કરે છે એવો જે મિથ્યાદષ્ટિ બંધભાવ એ જ બંધનું કારણ છે. આહા...હા...!
જેટલો સંસારી જીવરાશિ છે તેને જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બાંધનું કારણ છે ? બંધનું કારણ આ એક જ છે કે બીજું કોઈ કારણ છે ? આહા...હા...!
‘સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે....... છે ? આ.હા.હા.! જિનસ્વરૂપી ભગવાનને રાગ સાથે એકત્વ કરવો એ એક જ બંધનું કારણ છે. આહા...હા...! પર (સાથે) તો એકત્વ માને તોપણ થતા નથી અને આ તો એકત્વ) માને તો પર્યાયમાં માન્યતા થાય છે. માન્યતા, હોં ! આહા..હા...! છતાં એ માન્યતા દ્રવ્યસ્વભાવમાં નથી. આ..હા...હા...હા...! શું દ્રવ્ય ને શું પર્યાય ! આવો પ્રભુનો માર્ગ છે. તારો પંથ જ આ છે કહે છે, ભાઈ !