________________
કળશ-૧૬૪
૧૫૯
પાંચ ઇન્દ્રિયો છે, મન પણ છે, તેમના દ્વારા પુદ્દગલદ્રવ્યના ગુણોનો શાયક પણ છે. જો પાંચ ઇન્દ્રિયો અને મનમાત્રથી કર્મનો બંધ થતો હોત તો સમ્યગ્દષ્ટિ જીવને પણ બંધ સિદ્ધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી. (ષિત્ જીવના સંબંધ સહિત એકેન્દ્રિયાદિ શરીર, (ચિત્) જીવના સંબંધ રહિત પાષાણ, લોઢું, માટી તેમનો (વધ:) મૂળથી વિનાશ અથવા બાધા-પીડા (ન વન્ય ત્ તે પણ બંધનાં કર્તા નથી. સમાધાન આમ છે કે કોઈ મહામુનીશ્વર ભાવલિંગી માર્ગમાં ચાલે છે, દૈવસંયોગે સૂક્ષ્મ જીવોને બાધા થાય છે, ત્યાં જો જીવઘાતમાત્રથી બંધ થતો હોત તો મુનીશ્વરને કર્મબંધ થાત. ભાવાર્થ આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો કર્મનો બંધ છે, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી; જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી જીવઘાતનો સહારો કાંઈ નથી. ૨-૧૬૪.
=
—
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा
न नैककरणानि वा न चिदचिद्धधो बन्धकृत्।
यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभिः
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् । । २-१६४ । ।
પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે : વત્ ઉપયોગમૂ: રાયાવિમિ: ચક્ સમુપયાતિ સ: વ વતં ત્નિ દૃળામ્ વન્ધહેતુ: મતિ” જે ચેતનાગુણરૂપ (ભૂ:) નામ મૂળ...’ ભૂમિકા ‘વસ્તુ.. આહા..હા..! ચેતના સ્વરૂપ એની મૂળ ભૂમિકા પૃથ્વી છે. જાણક-દેખન સ્વભાવ જેની પૃથ્વી એટલે ભૂ – જમીન છે, જેનું એ સ્થાન છે. આહા...હા...! એવા ચેતનાગુણરૂપ. (ઉપયોગ) શબ્દ છે ને ? એની વ્યાખ્યા ચેતનાગુણરૂપ મૂળ વસ્તુ..' (ભૂ:)
(વિમિ:) ‘રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે મિશ્રિતપણારૂપે..' (વયમ્) છે ને ? (યમ્) જાણવા-દેખવાના ઉપયોગ સાથે રાગની એકતા – મિશ્રિતપણું કરે છે તે જ મિથ્યાત્વ છે અને તે જ બંધનું કારણ છે. આહા..હા...!
‘૩૫યોગમૂ: રચનાવિમિ: ચક્ સમુપયાતિ” આહા..હા...! જાણવા-દેખવાના વેપારમાં જે રાગ અને પોતાની ભૂમિકા ઉપયોગમાં એકત્વ કરે છે... આહા..હા...! જે ઉપયોગભૂમિથી રાગ પૃથક્ છે. જાણવા-દેખવાના સ્વભાવથી રાગ પૃથક્ છે. ચાહે તો એ મિથ્યાત્વનો રાગ કે ચાહે તો ચારિત્રમોહનો રાગ (હોય), અજ્ઞાનથી થયેલો રાગ, દયા, દાન ને વ્રતનો થયેલો