SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કલશામૃત ભાગ-૫ છે. આહા..હા...! એવો બંધ – રાગના એકતાપણાનો જે બંધ એણે સ્વરૂપથી ભ્રષ્ટ કરી અને બંધભાવમાં તેને રમાડ્યો છે. આહા...હા...! એવી જે મોહરૂપ મદિરા...” (મહારની છે ને? આહા...હા...! પરમાં, રાગમાં સાવધાની (છે) એ મોહરૂપી મદિરા પીધી છે. આહાહા..! “મોહરૂપી મદિરા, તે વડે.” એને અધિક થઈ ગયો છે. એ ભાવ જ જેને અધિક ભાસે છે. રાગનો ભાવ જ જેને અધિક ભાસે છે. ભગવાન અંદર રાગથી ભિન્ન છે એ ચીજને એ બંધભાવ જોવા દેતો નથી. આહા...હા...! મુમુક્ષુ :- આ બધું અજ્ઞાનીને તો કાંઈ ખબર નથી. ઉત્તર :- તેથી અહીં કહે છે ને ? કે, એને ખબર નથી માટે કહે છે મૂઢ છે. જેને અંતર સ્વરૂપ છે એના ઉપર દૃષ્ટિ નથી એની દૃષ્ટિ રાગ ઉપર છે. રાગના અધિકપણામાં એ પોતે રઝળાઈ ગયો છે. આહા...હા...! ચાહે તો શુભરાગ હો કે અશુભરાગ હો વીતરાગસ્વરૂપી ભગવાન, જિનસ્વરૂપીને રાગની અધિકતામાં બંધે જોડી દીધો છે. આહાહા.... એને જ્યાં ત્યાં રાગ જ ભાસે છે. હું અંદર રાગથી ભિન્ન છું એવું ભાસન નથી. આહા...હા...! ક્રિયાકાંડમાં પણ જ્યાં ત્યાં એને હું રાગ કરું છું, પુણ્ય કરું છું એવું જ અજ્ઞાનીને ભાસે “મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવ્યો હોય. ગાંડો – પાગલ (કરવામાં આવ્યો હોય). “સર્વસ્વ છીનવી લેવામાં આવે છે. આહા...હા...! મદિરા પીને સર્વસ્વ છીનવી લેવામાં આવે છે). આહા...હા...! અત્યારે તો કાંઈ બીજું કાંઈક કરે છે. મગજમાં કંઈક કરીને) લૂંટી લે છે. કાંઈક વિદ્યાબિદ્યા કરે છે, શું કહે છે ? “મુંબઈમાં એવા કેટલાક માણસો હોય છે ને ? એનું મગજ અસ્થિર કરી નાખે છે. (એક મુમુક્ષુને) કર્યું હતું. છે એવા માણસો. એવી કંઈક વિદ્યા હોય (એટલે) પછી એને જ ભાળે અને એની પાછળ પાછળ જાય. એનું સર્વસ્વ) લઈ લ્ય. (ઈ ભાઈ) કહેતા હતા. એમ આ રાગને જ ભાળે. અજ્ઞાની જ્યાં ત્યાં રાગને જ ભાળે. ભગવાન અંદર રાગ વિનાનો મહાપ્રભુ ! ક્ષણિક રાગ જે પર્યાયબુદ્ધિવાળો તેને જ ભાળે છે કહે છે. આહા..હા...! એને ઘેલો કરી નાખ્યો, પાગલ કરી નાખ્યો છે. આહા...હા...! કોઈ જીવને મદિરા પીવડાવીને વિકળ કરવામાં આવે છે. સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે...' છે ને ? તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે. પાઠમાં તો એકલો રાગ જ છે. રાગનો અર્થ મોહ. રાગ એટલે પરમાં મોહ. એને અહીં રાગાદિ શબ્દ વાપર્યો છે. “અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે....” આ..હા...હા...! ધર્મને બહાને પણ એ ક્રિયાકાંડમાં જે રાગ થાય એમાં ગાંડો – પાગલ થઈ ગયો છે કે, અમે ધર્મ કરીએ છીએ. આહા...હા...! રાગનો જેને રસ ચડી ગયો છે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy