________________
કળશ-૧૬૩
એમાં નાચે છે. જીવ અનાદિથી પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી અને વિકારમાં નાચે (છે) ઈ અખાડો એનો સંપ્રદાય છે. આહા..હા...! એ દુઃખના અખાડે નાચે છે. પર્યાયબુદ્ધિથી વાત છે ને !
૧૫૫
“શું કરીને આવો છે બંધ ?” ઈ બંધ છે. રાગનો અખાડો (છે) એમાં ૨મે ઈ બંધ છે. ભગવાન આત્મસ્વરૂપ તે અબંધ છે. અબંધસ્વરૂપને ભૂલી અને રાગ આદિ વિકારના અખાડામાં નાચી રહ્યો છે, પરિણમી રહ્યો છે એ સંસા૨ છે. કેવો છે બંધ ? છે ?
સાં નાત્ પ્રમત્ત ત્ત્તા” આહા..હા...! સર્વ સંસારી જીવરાશિને...’ (જીવરાશિ) એટલે એકેન્દ્રિયથી માંડી સાધુ (થઈને) નવમી ત્રૈવેયક ગયો એ બધા જીવરાશિ. પ્રમત્ત વૃત્તા) જીવના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ કરીને.' આહા..હા...! એ રાગના બંધભાવમાં ૨મના૨ા એને (જોઈને) બંધને ગર્વ થયો છે કે મોટા મહાત્માને મેં પાડ્યા છે ! આહા..હા..! અમે મહાવ્રત પાળીએ છીએ એવા રાગના એકતામાં રમનારા, એ બંધ કહે છે કે, મેં એવાઓને ભ્રષ્ટ કર્યા છે. આહા..હા....!
પ્રશ્ન :- મિથ્યાદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેનો ગર્વ લેવાનો ?
સમાધાન :- ઊંધો. અહીં વધારે મિથ્યાત્વનો છે. મૂળ મિથ્યાત્વના વિષયની વાત ખાસ છે. રાગનો અર્થ ઈ છે. આત્માના જાણવા-દેખવાના ઉપયોગમાં રાગને ઉપયોગ ભૂમિમાં એકતા કરવી એ જ બંધ છે અને એ જ સંસાર છે. આહા..હા...! અસ્થિરતાની વાત છે એને અહીં ગૌણ કરી રાખી છે. સમજાણું કાંઈ ?
બીજી રીતે કહીએ તો પર્યાયબુદ્ધિમાં બંધભાવને પોતાનો માને છે. આહા..હા...! એ શુદ્ધ સ્વરૂપી ચૈતન્ય કાયમી અસલી તત્ત્વથી બંધે એને ભ્રષ્ટ કર્યો છે. આહા..હા...! એની બાદશાહીના સ્થાનમાંથી એને ભ્રષ્ટ કરી દીધો છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન ! એના સ્થાનથી રાગની એકતાના ભાવબંધે એને સ્વભાવની સ્થિતિથી ભ્રષ્ટ કર્યો છે. આહા...હા...!
(પ્રમત્ત ત્વા) આખા જગતના જીવને (શુદ્ધ સ્વરૂપથી) ભ્રષ્ટ કરીને. શા વડે ? રાગદ્વેષ-મોહ...’ પાઠમાં તો રોગોદ્ગાર છે. રાગનો અર્થ કે, વિકલ્પ જે વિકાર છે એના ઉદયમાં એનું જોડાણ થઈ જાય છે. આહા..હા...! રાગના ઉદયમાં એકાકાર થઈ જાય છે એ આત્માને ગળી જાય છે. રાગનો જે વિકલ્પ ઊઠે છે, (ભલે) સૂક્ષ્મ રાગ હોય પણ તેનો ઉદ્ગાર ઉલ્લસિત થઈને આત્મા તેમાં એકાકાર થઈ જાય છે તે બંધ ભાવ છે.
રાગ (ઉદ્નાર) ઘણું જ અધિકપણું.....' છે એમ કીધું. રાગનું અશુદ્ધ પરિણતિનું એમ. પાઠમાં રાગ છે તો પછી રાગનો અર્થ કર્યો. રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ જે વિકાર એનું ઘણું જ અધિકપણું છે. આહા..હા...! તેનાથી જુદો પડીને ચૈતન્યનું અધિકપણું જુદું હોવું જોઈએ એને ઠેકાણે રાગનું અધિકપણું થઈ ગયું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. રાગના ભાવમાં જેને ઘણું જ સ્વભાવથી જુદું અધિકપણું ગયું