SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬ ૨ ૧૪૧ મૂળથી સત્તાનાશ કરતો થકો. શા વડે ?” આહા..હા...! નિર્નોનૃમ્મોન” (નિર્ગા) શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.’ જોયું ? ‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આહા..હા...! શુદ્ધ સ્વરૂપ છે ભગવાનઆત્માનું એનું શુદ્ધ પ્રગટપણે પરિણમવું (થાય છે) એથી એને પૂર્વ કર્મનો નાશ થઈ જાય છે. આહા..હા...! એટલો એ પ્રકારનો જે મિથ્યાત્વ છે ને ! અને એ પ્રકારના જ્ઞાના૨ણાદિ નાશ થાય છે. આહા..હા...! (‘સમયસાર’ની) મૂળ ટીકામાં ઘણું લીધું છે. એને ઘાતિકર્મ પણ છે. પર્યાયમાં ઘાત પણ પોતાથી થાય છે, હજી ચારિત્રમોહનો ઉદય પણ છે, એનો બંધ પણ છે, આસ્રવ પણ છે અને તમે એકદમ આમ કેમ કહો ? (તો સમાધાન આપ્યું છે કે), ભાઈ ! આ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવની અપેક્ષાએ વાત કરી છે. એટલું અહીં લેવું. સર્વથા લેવું એમ ન હોય. સમકિતથી સર્વથા આઠે કર્મોનો બંધ અટકી ગયો તો તો કેવળ(જ્ઞાન) થઈ જાય. (કેવળજ્ઞાન થાય) તોપણ ત્યાં હજી અશુદ્ધતા છે. ચાર કર્મ બાકી છે ને ? એટલી પોતાની અવસ્થા, હોં ! કર્મને લઈને નહિ. ‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આહા..હા...! નિર્જરાની વ્યાખ્યા આ કરી. ‘શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' આ વૃદ્ધિની અપેક્ષાએ (કહ્યું), જોયું ? પેલા કર્મનો નાશ થાય પણ અહીં શુદ્ધ પરિણમન વધ્યું, વધ્યું એટલે એ કર્મનો નાશ થાય છે એમ અહીંયાં કહેવામાં આવે છે. ખરેખર તો કર્મનો નાશ થાય છે એ નિર્જરા, એટલા પ્રકારની અશુદ્ધતા ગળે છે એ નિર્જરા અને શુદ્ધતા વધે છે ઈ નિર્જા. એમ ત્રણ પ્રકાર ચાલ્યા. આહા..હા...! શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે.' થાય છે. આહા..હા..! એ નિર્જરા પૂરી થઈ. (હવે) બંધ અધિકા૨’ છે એ વિશેષ આવશે.... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy