SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કલશામૃત ભાગ-૫ આહાહા..! સમકિતના નિઃશંક આદિ આઠ અંગો (છે) એવા ભાવરૂપે પરિણમ્યો છે. આહા..હા..! એને અહીં આઠ અંગ કીધાં. પેલા વ્યવહારના શુભભાવ (રૂ૫) નિઃશંક આદિ નહિ. આહા...હા...! વ્યવહાર હો, પણ અહીં તો નહિ. અહીં તો અંદરના જે નિશ્ચયના છે તેને અહીંયાં ગણવામાં આવ્યા છે. આહા...હા...! અહીં તો શુદ્ધ પરિણમન લેવું છે ને ! સમકિતનું પરિણમન શુદ્ધ અને એની સાથે આઠ અંગનું શુદ્ધ પરિણમન લેવું છે). આહા..હા..! એ શુદ્ધ પરિણમનમાં તો નિશ્ચયના નિઃશંક આદિ ગુણો) આવે. વ્યવહાર નિઃશંક, નિઃકાંક્ષિત વિકલ્પ – રાગ છે. એ અહીં ન આવે. આહા...હા...! એ આઠ અંગરૂપે પરિણમ્યો છે એમ કીધું. પહેલું એમ કીધું ને ! સમ્યક્દૃષ્ટિ જીવ શુદ્ધ સ્વરૂપે પરિણમ્યો છે. એમ આ સમકિતપણે પરિણમ્યો છે. એમ આ સમકિતના આઠ અંગપણે પણ પરિણમ્યો છે. આહા..હા...! એ વીતરાગી પર્યાયપણે થયો છે એમ કહે છે. એક શ્લોકે તો આખા શાસ્ત્રનું રહસ્ય અંદર આવી જાય છે. “શ્રીમદ્ કહે છે ને કે, જ્ઞાનીનું એક વાક્ય અનંત આગમથી ભરેલું છે. આહા..હા...! સાત:”નો અર્થ એ કર્યો. “વળી કેવો છે...?’ આહા..હા..! એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ?' 7 પ્રવિદ્ધ જર્મ ક્ષણં ૩પની ‘બીજાં કાર્ય એવું પણ થાય છે...” એટલે કે પરિણમન તો થયું, ઈ તો એક કાર્ય થયું પણ બીજું કાર્ય પણ ત્યાં થાય છે. આ...હા...! પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ.” આઠે કર્મ, હોં ! આઠે. આહા...હા..! પુદ્ગલપિંડ. તેનો મૂળથી સત્તાનાશ કરતો થકો.” પેલા એક વિદ્વાન) કહેતા હતા ને ? સત્યાનાશ. આઠ કર્મનો સત્યાનાશ કરી નાખ્યો. મૂળમાંથી ઉખેડી નાખે છે એમ કહે છે. આહા..હા..! તેનો મૂળથી સત્તાનાશ...” આહા..હા...એના હોવાપણાનો જ નાશ કરતો થકો કહે છે. અહીં તો આઠેય કર્મનો નાશ કીધો. ઈ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના સંબંધમાં જે આઠે કર્મ હતા એનો એ નાશ કરે છે એટલું. આમાં આઠે કર્મનો નાશ થઈ જાય તો તો થઈ રહ્યું, કેવળ(જ્ઞાન) થઈ જાય. અહીં તો નિર્જરા અધિકાર છે. (પ્રવિદ્ધ) પૂર્વે બાંધેલ...” (પ્રવ) પ્રાદ્ધ) છે ને ? (એટલે) પૂર્વે બાંધેલા. પેલા નથી ચાર આવતા ? પ્રાગભાવ, પ્રધ્વસાભાવ, અન્યોન્યભાવ, અત્યંતાભાવ. પ્રાગ ! પૂર્વે જે બાંધેલા એનો નાશ કરતો થકો. આહા...હા..! ઈ સહેજે થાય છે. નાશ કરવું એવું કાંઈ નથી પણ આ તો આમ શુદ્ધ પરિણમન થાય છે ત્યાં અશુદ્ધ પરિણામે બાંધેલા જે કર્મો છે એ નાશ થઈ જાય છે, એમ કહેવું છે. નાશ કરું અને નાશ થાય એ જડ છે એને કર્મ નાશ કરું એવું કાંઈ છે નહિ. જડનું નાશ થવું એટલે કે એ કર્મની પર્યાય અકર્મરૂપે થઈ જવી એ એનો તે કાળનો સ્વભાવ હતો તે થઈ છે. અહીંયાં શુદ્ધપણે પરિણમ્યો માટે કર્મને નિર્જરવું પડ્યું એમ નથી. નિમિત્તપણું આ હતું એટલે કર્મપણે થયેલી પર્યાય અકર્મપણે થાય એવો એનો સ્વભાવ છે. આહા...હા...!
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy