________________
કળશ- ૧૬ ૨
૧૩૭
છે. ભાઈએ આપ્યું હશે. આહા..હા...! એવું કોઈ પુસ્તક બહાર આવ્યું છે ! ઈ આમ રાજી રાજી થઈ ગયો, વેદાંતી ! આત્માના જિજ્ઞાસુને માટે આ પરમ સુશાસ્ત્ર છે, એમ લખ્યું છે). આહા..હા...! પણ જેને ગરજ હોય એને. જેને આત્માની ગરજ હોય એને માટે છે. ભૂખ્યાને ભોજન, તૃપ્તિ અને પુષ્ટિ. આહા..હા..! આ તો બાપુ ! માર્ગ આ છે ને, ભાઈ ! આહા..હા...!
(અહીંયાં કહે છે), “સ્વયમ્ તિરસી આહાહા.! ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ લક્ષણ સ્વરૂપ છે અને તેને જ્ઞાનગણ્ય કરવાથી તે અતીન્દ્રિયરસને પામે છે. શું કહ્યું સમજાણું ? જ્યાં હોય ત્યાં બે વાતની) વધારે મુખ્યતા કહે છે – જ્ઞાન અને આનંદ, જ્ઞાન અને આનંદ, જ્યાં આત્મા પોતાના સ્વયં જ્ઞાનથી જ્યાં અંદર ગ્રાહ્ય થાય છે – અનુભવ કરે છે, વસ્તુનો અનુભવ (થાય છે) એ જ્ઞાનગણ્યથી થાય છે. નિર્મળ પરિણતિથી અંદર ગ્રાહ્ય થાય છે. એની સાથે અતીન્દ્રિય અનાકુળ આનંદસ્વરૂપ ભગવાન પણ એમાં પમાય છે. જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદની પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહા..હા..!
એક એક શ્લોકમાં કેટલું નાનું છે! આહા..હા...! આ વીતરાગ પરમાત્મા જિનેન્દ્રદેવાના ભક્તો સમકિતી જ્ઞાની... આહાહા...! આ તો મુનિ છે. ટીકામાં મુનિ અર્થ કર્યો છે. આહા...હા...!
કહે છે કે, આત્મા વર્તમાન જ્ઞાનથી વસ્તુને (વિહ્યિ) (અર્થાત) અનુભવ કરે. આહાહા....! ત્યારે તેને અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાનને પર્યાયમાં પામે છે. અતીન્દ્રિય આનંદ પર્યાયમાં પામે છે. આહા...હા...! આવી વાત છે. આને બીજી રીતે ખતવી નાખવી, ભાઈ ! એ માર્ગ નથી. આહા...હા...! પ્રભુ ! તારા ઘરની વાત તને કરે અને તને ન રુચે અને ઘરબહારની વ્યવહારની વાતું રુચે અને એમ કહે કે એનાથી થાય. સમજાણું કાંઈ? આહા..હા...! એનું ઘર અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદમય છે. આદિ-મધ્ય-અંતથી રહિત અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એને વર્તમાન જ્ઞાનથી અવગાહતા.... આ..હા...હા...! વર્તમાન જ્ઞાનની પર્યાયને, રાગથી ભિન્ન કરેલી પર્યાયને અંતરમાં અવગાહતા જે જ્ઞાનમાં અનુભવગમ્ય થાય કે આ ચીજ છે એની સાથે અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદરસ પણ પર્યાયમાં પમાય છે. આહા...હા...! આવી વાતું છે, બાપુ ! આહાહા..!
ઓ..હો! છેલ્લો શ્લોક આ નિર્જરાનો શ્લોક છે. એક જણો કહે કે, તમે “સમયસારના બહુ વખાણ કરો છો (પણ) હું પંદરમાં દિમાં વાંચી ગયો ! બહુ સારી વાત છે, બાપા ! એમ કે, વાંચી ગયો એટલે એમાં બધું આવી ગયું અને તમે તો કહો છો કે, આવું છે ને આવું છે ને આવું છે. અરે... ભગવાન ! એના એક પદને પહોંચી વળવા મહાપુરુષાર્થ જોઈએ છે ! આહા...હા..! એને ઘણી કિંમત ચૂકવવી પડે છે. આ એક શ્લોક તો જુઓ !