________________
૧૩૬
કલામૃત ભાગ-૫
ભાઈ ! આહા..હા....!
અહીં તારો નાથ અંદર બિરાજે છે ને, કહે છે. આહાહા...! એને અવગાહમાં તો જ્ઞાનની દશા જ કામ આવે. આહા..હા...! દયા, દાન ને વ્રત ને ભક્તિના પરિણામ ત્યાં કામ ન કરે. આહા..હા..! કારણ કે એ તો રાગ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...!
એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ' કેવી કે, અનુભવગોચર થઈ શકે એવી. જ્ઞાનથી ગમ્ય થઈ શકે એવી. રાગ અને પુણ્યથી ગમ્ય થઈ શકે એવી એ વસ્તુ નથી. આહાહા..! છે ? આહા...હા...! “શા કારણથી ?” “સ્વયમ્ તિરસાત્ “અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી.” “તિરસનો અર્થ કર્યો. આહા...હા! સ્વયં અતીન્દ્રિય આનંદસ્વરૂપ એને જ્ઞાનથી ગમ્ય કરવાથી તેને અનાકુળ આનંદનો રસ આવે છે. આહા...હા..! માળો શ્લોક પણ કેવો ! આ સિદ્ધાંત કહેવાય ! આ..હા...! સિદ્ધ થઈ ગયેલી વસ્તુ અને સિદ્ધ થવાની વસ્તુ. આહાહા...!
કહે છે કે, “સ્વયમ્ તિરસાત્ ઈ સ્વયં વસ્તુ જે જ્ઞાનગમ્ય અને અનુભવગમ્ય થાય એ અનાકુળ આનંદરસમય છે. તેથી તેની પર્યાયમાં સ્વયં અતિ રસ આવે છે. અતીન્દ્રિય આનંદનો રસ આવે છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો ઉપદેશ કેવો લાગે ? ભાઈ ! ઝીણું ઝીણું લાગે બધું. બાપા ! ભાઈ ! તારી ચીજ એવી છે અંદર, આહા..હા..! એને કહે છે, મન કામ ન કરે, ઇન્દ્રિય કામ ન કરે, રાગ કામ ન કરે એવી એ ચીજ છે.
ત્યાં તો એ અતીન્દ્રિય આનંદના રસવાળી ચીજ અનુભવગમ્ય થતાં તેને આનંદનો અતિ રસ આવે છે. આહા...હા...! રાગમાં એકાગ્ર થતાં તો ત્યાં ઝેરના રસ આવે છે. અહીં આનંદનો (રસ) છે, ત્યાં આકુળતાનો રસ છે. ચાહે તો એ પુણ્યના પરિણામ હો કે પાપના, આહા..હા..! એ બધાં આકુળતાના રસવાળા છે. આહા..હા...! સંસારના ભણતર, સંસારના ધિંધાના ભાવ એ બધા કહે છે કે, ઝેરના – આકુળતાના રસવાળા છે. આ...હા...!
ભગવાનઆત્મા ! “સ્વયમ્ તિરસાત્ સ્વયં (અર્થાતુ) જેના અતીન્દ્રિય આનંદને કોઈ પરની અપેક્ષા નથી. આહાહા....! સ્વયં અતિ અતીન્દ્રિય આનંદમય છે પણ તેના અનુભવને માટે “તિરસાત્ દશા પ્રગટે છે. એને કોઈની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આહાહા...!
સ્વયમ્ તિરસ’ એ તો “અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ...” છે તેને પામવાથી.” એમ કહે છે. આહાહા...! ભગવાન જ્ઞાનગણ્ય થતાં જ્ઞાનની પર્યાયમાં તે વસ્તુ જણાતાં જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેને ઈ પામે છે. સમજાણું કાંઈ ? આવી ચીજ છે.
વેદાંતનો એક કાગળ આવ્યો છે. પરમ દિ વાંચશું બધા “ભાવનગરવાળા (આવે ત્યારે). ‘અમરેલીનો વેદાંતી છે. ભાઈએ આ બેનનું વચનામૃત આપ્યું હશે (એ) વાંચીને.... આ.હા....! એ પત્ર આવશે. પરમ દિ' વાત. ઓ.હો.હો..! આ પુસ્તક શું છે આ તે ! આ તો અનુભૂતિનો આકાર બહાર આવ્યો છે ! છે ને એમાં ? પેલો વેદાંતી (આમ લખે છે) ! કોઈ વેદાંતી