SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કલશામૃત ભાગ-૫ કે થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે ‘(ઞાપતેત્’ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. તસ્મિન્ આપતિતે” અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ. તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં જ્ઞાની વ્ઝિ તે’‘(જ્ઞાની)’ સમ્યગ્દષ્ટિ જીવ ‘(ત્રિ તે)’ અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? ‘અથ ન તે” સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી ? ર્મ કૃતિ’ ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નાનાતિ :’ શાયકસ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? અપ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિત:' નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩. ૨ - કારતક વદ ૩, સોમવાર તા. ૨૮-૧૧-૧૯૭૭. કળશ-૧૫૩, ૧૫૪ પ્રવચન-૧૬૧ ‘કળશટીકા’ (૧૫૩માં કળશની) છેલ્લી બે લીટી છે. સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.' શું કહે છે ? જેને આત્મા રાગના વિકલ્પથી ભિન્ન ચૈતન્ય અખંડ આનંદસ્વરૂપ (છે) એનો અનુભવ થઈને દૃષ્ટિ થઈ છે એને અહીંયાં સમ્યક્દષ્ટિ કહે છે. અનંતકાળમાં એણે એક સેકંડ માત્ર પણ પ૨થી ભિન્ન એનો અભ્યાસ કર્યો નથી. એ ૫૨થી ભિન્ન થાય. શરીર, વાણી, મન તો ૫૨ છે પણ જે શુભ વિકલ્પ – રાગ, દયા, દાન આદિ ઊઠે એનાથી ચીજ અંદર જુદી છે અને પોતાના અનંત આનંદ અને અનંત જ્ઞાનસ્વભાવથી તે અભિન્ન છે. રાગથી ભિન્ન છે અને પોતાના અનંત... અનંત શક્તિઓ – સ્વભાવ – ગુણ (છે) એનાથી તે અભિન્ન છે. એવું જેને અંત૨માં (અભિન્નપણું થયું તે) ધર્મની પહેલી શ્રેણી (છે). ચૈતન્ય વસ્તુ પરમાનંદસ્વરૂપ એવો દૃષ્ટિમાં લઈને અનુભવ કરીને આનંદનો સ્વાદ આવ્યો હોય, એના સ્વાદમાં પ્રતીતિ આવે કે આ આખો આત્મા અતીન્દ્રિય આનંદમય છે. આવું છે. આનું નામ સમ્યક્દષ્ટિ છે. એ સમ્યક્દષ્ટિ ભોગક્રિયાનો કર્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? શાયકસ્વરૂપમાત્ર છે.' આહા..હા...! ઝીણી વાતું ઘણી, ભાઈ ! એ તો જાણકસ્વભાવ જાણવું, દેખવું, આનંદ એ એનો ત્રિકાળી સ્વભાવ (છે). એ સ્વભાવનો જેણે આશ્રય લીધો એ જ્ઞાયકસ્વરૂપી જીવ છે. એને ભોગની ક્રિયા હો. એ તો ભોગની વાત કીધી છે. એ તો કાલે સ્પષ્ટ કર્યું હતું. પરની ક્રિયા એ તો નિમિત્તથી કથન છે. પરને અજ્ઞાની આત્મા પણ અડી શકતો
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy