________________
કળશ-૧૫૯
લીધી ને ? મારું જીવન તો જ્ઞાન, દર્શન, આનંદ, સત્તાના પ્રાણથી મારું જીવન છે. આહા..હા...! હું આનંદના પ્રાણથી જીવનારો, (એ) મારું જીવતર છે. આહા..હા...! હું પ્રાણ-જીવન છું. (પણ) કયા પ્રાણ ? ચેતનપ્રાણ, જ્ઞાનપ્રાણ, આનંદપ્રાણ, શાંતિપ્રાણ... આહા..હા...! એવા પ્રાણથી મારું જીવન, જીવવું, ટકવું તેને લઈને છે. આ...હા...! આ દસ પ્રાણને લઈને મારું જીવન અને ટકવું (થાય છે) એમ ધર્મી માનતો નથી. આહા..હા...! આ પ્રાણ જ્યાં જાય ત્યારે એમ કહે કે, અરે...! હું મરી જાઉં છું. આહા..હા...! કોણ મરે ? બાપુ ! ભાઈ ! તું શું કહે છે ? મરી જાઉં છું, એવું જેણે જાણ્યું એ જાણનાર ચૈતન્યપ્રાણ મરી જાય છે ? સમજાણું કાંઈ ?
૯૫
અહીંયાં સમ્યક્દષ્ટિની નિર્જરાની વ્યાખ્યા છે ને ! આહા..હા..! અજ્ઞાનીને બંધનું કારણ છે, જ્ઞાનીને નિર્જરાનું કારણ છે એમ સિદ્ધ કરવું છે. પ્રાણ જતાં એ પ્રાણ મારા હતા, ઇન્દ્રિય, શ્વાસ, મન, આયુષ્ય (મારા હતા)' એમ માનીને મિથ્યાત્વને સેવીને મિથ્યાત્વના કર્મને ઈ બાંધે છે. આ..હા..હા...! સમ્યક્દષ્ટિ એ પ્રાણ, ઇન્દ્રિય આદિ મારામાં છે જ નહિ, મારા છે જ નહિ. મારા પ્રાણ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ મારા પ્રાણ છે. એ તો શાશ્વત છે. એનો વિરહ મને હોતો નથી.' (એમ માને છે). આ..હા..હા...! આવી ઝીણી વાત છે.
અંદર વસ્તુ છે ને ! દેહથી, રાગથી ભિન્ન વસ્તુ છે ને ! વસ્તુ છે તો એ નિત્ય છે ને ! નિત્ય છે તો એ નિત્યના જે સ્વભાવો છે એ પણ નિત્ય છે. તો એ સ્વભાવપ્રાણનો નિત્યને વિયોગ થાય એવું કોઈ દિ' છે નહિ. અનિત્યનો વિયોગ થાય તો વિયોગ તો એનું સ્વરૂપ છે જ. આહા..હા...! આ માણસ મરે ને ? પછી પાછળ બાઈયું રોવે. આ ભર્યાં ઘ૨માંથી નીકળવું કેમ ગોઠ્યું ? એવું રોવે. આહા..હા...! ઘર હોય, પૈસા હોય, ઘ૨વખરી હોય અને એક મોટો પલંગ હોય એમાં પડ્યો હોય, એમાંથી ઉઠ્યો... જા..ઓ...! પછી બાઈયું રોવે. અરે...! ભર્યા ઘરમાંથી નીકળવા કેમ ગોઠ્યા ? મસાણમાં તમને કેમ ઠીક પડશે ? જુઓ ! ઠીક ! આવા જૂઠેજૂઠા ! રોણાં જૂતા, ગાણાં જૂઠા. આહા..હા..!
અહીં તો પરમાત્મા એમ કહે છે, પ્રભુ ! તું કોણ ? કયા પ્રાણે ટકતો તું તત્ત્વ, તારું જીવન (એ છે) ? તારું જીવન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે ને ? વસ્તુ ચૈતન્ય એનો ચૈતન્ય સ્વભાવ છે ને ? એ સ્વભાવ શાશ્વત છે. એમાં એ સ્વભાવનો સ્વભાવવાનને વિયોગ થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. માટે ધર્મીને સ્વભાવનો વિયોગ હોતો નથી. આહા..હા...! એ કહે છે.
સમ્યગ્દષ્ટિને મરણનો ભય કર્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો. કારણ કે...’પ્રાણોલ્ઝેમ્ મરાં દ્રાહરન્તિ' લોકો એને મરણ કહે છે. લોકો એને મ૨ણ કહે છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ મન-વચન-કાયા, શ્વાસ અને આયુષ્ય એવા પ્રાણના વિનાશને મરણ કહેવામાં આવે છે, લોકો (તેને મરણ) કહે છે. આહા..હા...! પાંચ ઇન્દ્રિયોનો વિયોગ, આયુષ્યનો વિયોગ,
-