SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કિલશામૃત ભાગ-૫ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપની જેણે દૃષ્ટિ પ્રગટ કરી છે, રાગ અને વિકલ્પથી ભિન્ન પડી અને ભિન્ન પડી, ભિન્ન પડેલી ચીજને અંતરમાં (અનુભવે છે. આહા...હા...! તિર્યંચ હો કે નારકી હો કે મનુષ્ય હો, દેવ હો પણ સમ્યકૂદષ્ટિ ચૈતન્યના આનંદના સ્વભાવને જ શ્રદ્ધ, જાણે અને વેદે છે. આહા..હા..! કેવું છે જ્ઞાન ?’ એટલે આત્મા. “અનાદિસિદ્ધ છે. એટલે આ જ્ઞાન.... જ્ઞાન. જ્ઞાન... જે સ્વભાવ (છે) એ તો અનાદિ છે. જેમ આત્મા અનાદિસિદ્ધ છે તેમ એને જ્ઞાનસ્વભાવ અનાદિસિદ્ધ છે. વળી કેવું છે ? અખંડધારાપ્રવાહરૂપ છે.” જ્ઞાન અને એટલે આત્મા અખંડ ધ્રુવ ધારા, જેની ધ્રુવ ધારા નિત્ય – કાયમ વહે છે. આહા..હા..! એવો જે ભગવાન શુદ્ધ ચૈતન્ય આત્મા ! એને અનુભવે છે. કેવો છે આત્મા અથવા જ્ઞાન ? સહજ (છે). કોઈ બીજા કારણ વિના એ સહજસ્વરૂપી વસ્તુ છે. કોઈ એને આધાર અને કર્તા કોઈ છે એમ નથી. આહા..હા...! “કારણ વિના સહજ જ નિષ્પન્ન છે.” સ્વભાવિક જ પ્રાપ્ત છે. સ્વભાવ ચૈતન્ય વસ્તુ સ્વભાવિક જ પ્રાપ્ત છે. એને કોઈ કારણ નથી તેમ કોઈ એનો સહાયક નથી. નિઃસહાય – સહજ સ્વરૂપ ચૈતન્ય બિરાજમાન છે. આહા..હા...! કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “નિ:શં?” “મરણશંકાના દોષથી રહિત છે. એને મરણની શંકા નથી કે, હું મરી જઈશ ? મરે કોણ ? એ કહેશે. કેવો છે સમ્યક્દૃષ્ટિ ? “શું વિચારતો થકો નિઃશંક છે ?” “ત: તથ મરજી શિશ્ચન ન જવેત્ જ્ઞાનિન: તદ્ધી ત: “આ કારણથી આત્મદ્રવ્યને” ભગવાન આત્મા ! એને જ્ઞાનપ્રાણ, આનંદપ્રાણ, શ્રદ્ધા અથવા દર્શનપ્રાણ, સત્તાપ્રાણનો એને કોઈ દિ વિયોગ હોતો નથી. આહા...હા...! ‘આ કારણથી આત્મદ્રવ્યને પ્રાણવિયોગ સૂક્ષ્મમાત્ર થતો નથી,” આ...હા...! પ્રાણ એટલે ? જ્ઞાન, આનંદ, શાંતિ આદિ આત્માના પ્રાણ છે. આ ઇન્દ્રિય, બળ, શ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ છે એ તો જડ અને પર છે. ઇન્દ્રિયપ્રાણ, બળપ્રાણ, શ્વાસપ્રાણ, આયુષ્યપ્રાણ એ ચારના દસ (પ્રાણ) થાય. ઇન્દ્રિયપ્રાણ એ પાંચ (છે), બળ પ્રાણ – મન-વચન-કાયા એ ત્રણ (છે), (એમ) આઠ અને શ્વાસ અને આયુષ્ય. (એમ) દસ (પ્રાણ છે). ચાર (અથવા) દસ પ્રાણ એ તો પુગલના પરિણામ, પુગલની દશા છે. એનો વિયોગ થાય તો એ તો વિયોગ થવાને લાયક જ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આહા...હા...! એમાં મારા પ્રાણનો વિયોગ નથી. એ તો પુદ્ગલના પ્રાણનો વિયોગ થાય છે). આહાહા...! દેહ છૂટવા ટાણે એ પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાય, શ્વાસ, આયુષ્ય છૂટે છે. એ તો છૂટવાને લાયક નાશવાન છે તો) એ તો છૂટે જ. આહા...હા..! હું જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ પ્રાણથી ભરેલો ભગવાન છું. આહા..હા...! મારું પ્રાણ-જીવન, હું પ્રાણ-જીવન આત્મા છું! આહા...હા...! પહેલી જીવત્વ શક્તિ લીધી ને ? ૪૭ (શક્તિમાં) પહેલી જીવતર શક્તિ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy