________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૪૧ |
નાખ્યું, કોઈએ કાન કાપ્યા, કોઈએ દાંત ઉખાડી નાખ્યા અને આવી હાલતમાં લોકોએ તેને છોડયો ત્યાં કૂતરાઓએ તેનો પીછો કર્યો અને ચૂંથી ચૂંથી મારી નાખ્યો. જો તે બિલાડો પોતાની ભૂખ જેટલું ખાઈને ક્યાંક ભાગી ગયો હોત અને તૃષ્ણા ન કરી હોત તો તેના પ્રાણ અવશ્ય બચી જાત. માટે હું સુંદરી !
“જૈસે વહુ ગીદડ મુવો, તષ્ણાવશ નિર્ધાર;
તૈસે મુઝ ભવજલધિસે, કૌન ઉતારે પાર.” આ પ્રમાણે સ્વામી પોતાની ચાર સ્ત્રીઓને જવાબ આપીને સમાધાન કરતાં સવાર પડી ગઈ. બધા માણસો ઉઠી ઉઠીને પોતાના કામે વળગવા લાગ્યા. સ્વામીની માતાને રાત્રે નિંદ્રા ન આવી. તે ચિંતાતુર થઈને બેઠી હતી. એટલામાં દરવાજાની પાસે એક ચોરને ઉભેલો જોયો. માતાએ તેને પૂછયું-“હે ભાઈ ! તું કોણ છે અને શા માટે અહીં આવ્યો છે?”
ત્યારે ચોરે જવાબ આપ્યો “હે માતા! હું ચોર છું અને આપના ઘરમાંથી કેટલુંય દ્રવ્ય ઘણીવાર ચોરીને લઈ ગયો છું. મારું નામ વિધુતચર છે. હું રાજપુત્ર છું પણ બાળપણથી જ મને ચોરી કરવાની કુટેવ પડી ગઈ છે એટલે દેશ છોડીને અહીં આવ્યો છું.”
ત્યારે માતા પોતાનો ખજાનો બતાવીને તેને કહેવા લાગી “હું ભાઈ ! આ બધું ધન, સંપતિ, રત્નરાશિમાંથી જેટલું જોઈએ એટલું લઈ જા.” ચોરે કહ્યું કે “હે માતા, તમે ઘડીક ઘરમાં જાવ છો અને ઘડીમાં બહાર આવો છો તથા આવી રીતે બિસ્કુલ નિઃસ્પૃહ બનીને દ્રવ્ય લઈ જવાની આજ્ઞા આપો છો તો એનું શું કારણ છે?”
ત્યારે માતાએ કહ્યું- “હુમણાં જ પ્રાત:કાળમાં મારો પુત્ર દીક્ષા લઈને જવાનો છે અને તેની આ ચારે સ્ત્રીઓ જે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com