________________
teck http://www.tmadharma.com for updates
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
જો નર બહુ તૃષ્ણા કરે, ચોરે પરકા વિત્ત;
સો ખોઈ બેંઠ આપનો, સાથહિં પરકે વિત્ત.” આ પ્રમાણે કે સ્વામીન! “પરિપૂરણ ધન હોત ભી, ભોગે દુ:ખ અપાર;
તિસ સમ નાથ ન કીજિયે, કરું વિનય હિતકાર.”
આ વાર્તા સાંભળી સ્વામી બોલ્યા “સુંદરી ! સાંભળો, કોઈ ભયાનક વનમાં એક પ્રવાસી ચાલ્યો જતો હતો, તેને હાથીએ જોયો અને તેની પાછળ પડ્યો એટલે પેલો ભાગતા ભાગતા એક કૂવાના કિનારે વૃક્ષ જોઈને તેની ડાળી પકડીને કૂવામાં લટકી રહ્યો. તે કૂવાના તળિયે એક અજગર મોઢું ફાડીને બેઠો હતો. પાસે ચારે બાજુ ચાર સાપ ફેણ માંડીને ફૂંફાડા મારતા હતા. તેની ડાળી સફેદ અને કાળા રંગના બે ઉંદરો કાપી રહ્યા હતા. વૃક્ષ ઉપર મધપૂડો હતો. ત્યાં હાથીએ આવીને તે વૃક્ષ હલાવ્યું એટલે પેલી મધમાખીઓ ઉડીને પ્રવાસીના શરીર ઉપર ચોંટી ગઈ. એટલામાં મધપૂડામાંથી મધનું એક ટીપું તે પ્રવાસીના મોઢામાં પડ્યું, પેલો પોતાના બધા દુઃખ ભૂલીને તે મધનું ટીપું ખૂબ પ્રેમથી ચાટવા લાગ્યો. એટલામાં એક વિધાધર આવ્યો અને તેને સમજાવીને કહેવા લાગ્યો કે “ભાઈ, જો તું કહેતા હો તો હું તને આ દુઃખના કૂવામાંથી બચાવી લઉં.' ત્યારે પ્રવાસી બોલ્યો- “મિત્ર! વાત તો તમારી સારી છે. પણ એક બીજું મધનું ટીપું પડી જવા ઘો, ત્યારપછી હું તમારી સાથે આવીશ.' એમ કહીને તે ફરી પાછો ઉપર મધના ટીપા તરફ જોવા લાગ્યો. અહીં વિદ્યાધર પણ પોતાના માર્ગે ચાલ્યો ગયો. પેલી તરફ ઉંદરડાઓએ ડાળી કાપી નાખી એટલે તે પ્રવાસી તરતજ અજગરના મૂખમાં જઈ પડ્યો. માટે હે સુંદરી !
“પંથી ઇન્દ્રિય વિષયવશ, અજગર મુખ ગયો સોય; મેં જુ પડું ભવકૂપમેં, તો કાઢેગા કોય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com