________________
| ૩૮).
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર આસક્ત બની વનમાં રહેવા લાગ્યો. તેને જે કાંઈ સંતાન થતા તેને પણ તે તરત જ મારી નાખતો. એક વાર કોઈ વાંદરાએ વાંદરાને જન્મ આપ્યો અને તેની ખબર વૃદ્ધ વાંદરાને પડી નહિ. હવે પેલો વાંદરો જુવાન થયો અને આ કામી વાંદરો વૃદ્ધ થયો હતો અને તેની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી. એકવાર તે બન્ને વાંદરા આપસમાં લડી પડયા. વૃદ્ધ વાંદરો હારીને ભાગ્યો અને તરસ લાગવાથી પાણી પીવા માટે કાદવિયા ખાબોચિયામાં પેઠો અને કાદવમાં ફસાઈને ત્યાં જ મરી ગયો. માટે હે સુંદરી! –
કપિ તૃષ્ણા કર ભોગકી, પાયો દુ:ખ અકલ્થ;
મેં ચહું ગતિ જબ ડૂબિ હોં, કાઢન કો સમરત્યે?”
આ કથા સાંભળીને જ્યારે કનકશ્રી નિરુત્તર બની એટલે વિનયશ્રી નામની ત્રીજી સ્ત્રી કહેવા લાગી-“હે સ્વામી! સાંભળો, કોઈ ગામમાં એક કઠિયારો રહેતો હતો. જેણે અતિ પરિશ્રમ કરીને દિવસોના દિવસો ભૂખ્યા રહીને એક વીંટી બનાવરાવી અને એમ વિચારીને તેને જમીનમાં દાટી મૂકી કે એ સંકટના સમયે કામમાં આવશે. એક દિવસની વાત છે કે કોઈ વટેમાર્ગુ તે જંગલમાંથી પસાર થતો હતો. તેની પાસે થોડું દ્રવ્ય હતું. પરદેશ જતાં તેને પણ એજ વિચાર આવ્યો અને પોતાનું દ્રવ્ય તે જ જંગલમાં દાટીને ચાલ્યો ગયો. પેલો કઠિયારો તે જોઈ ગયો. તેણે ખોદ્યું તો તેને ઘણું દ્રવ્ય મળ્યું. તે ખૂબ રાજી થયો અને પોતાની વીંટી પણ તેની સાથે જ દાટી દીધી. તેને આ દાટતાં કોઈ બીજો વટેમાર્ગ જોઈ ગયો. તેના ગયા પછી વટેમાર્ગુએ ત્યાંથી ખોદીને બધું દ્રવ્ય લઈ લીધું અને ચાલ્યો ગયો. જ્યારે બીજે દિવસે કઠિયારો ત્યાં આવ્યો તો જમીન ખોદેલી જોઈ અને દ્રવ્ય જોયું નહિ તેથી હાય હાય કરવા લાગ્યો, પોતાના કાર્ય બદલ પછતાવો કરવા લાગ્યો કે બીજાનું દ્રવ્ય તો ગયું પણ મારી ગાંઠની અંગૂઠી પણ સાથે ચાલી ગઈ. કોઈએ ઠીક જ કહ્યું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com