________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ )
શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
તારા સ્વામીને કહી દે કે કન્યા તો રાજા શ્રેણિકને હું આપી ચૂક્યો છું, હવે તે બીજાને આપી શકાય નહિ. દૂતે પાછા આવીને રાજા રત્નચૂલને બધા સમાચાર આપ્યા. એટલે રત્નચૂલે આવીને કેરલપુરને ઘેરો ઘાલ્યો છે અને પોતાની માંગણી સ્વીકારવા દબડાવી રહ્યો છે, નગરમાં અનેક વિઘ્નો કરે છે. તેથી હું મહારાજ! આપના શ્વસુરની સહાય કરવા આપ પધારો ”
આ વાત સાંભળી રાજા શ્રેણિક વિચાર કરવા લાગ્યા કે શું કરવું જોઈએ ? જો જાઉં તો એ વિધાધર અને હું ભૂમિગોચરી રાજા છું, માર્ગ પણ વિષમ છે, કેવી રીતે જીતી શકાશે? અને નહીં જાઉં તો કરેલી માંગણી જાય છે તે ઘણી લજ્જા અને કાયરતાની વાત છે કેમકે સામાન્ય ગરીબ માણસ પણ પોતાની માંગ (અર્પણ થયેલી કન્યા) ને છોડતો નથી. આમ દ્વિધામાં પડી ચિંતાતુર જણાવા લાગ્યો. ત્યાં વિદ્યાધરે ફરીથી કહ્યું કે- “હે રાજન! તે રત્નચૂલ ઘણો જ પરાક્રમ અને બળવાન છે, તેની સેના પણ ઘણી મોટી છે, એ ઉપરાંત વિદ્યાધર છે. રસ્તો અતિ વિકટ છે. ભૂમિગોચરી ત્યાં જઈ શકતા નથી.
66
,,
66
આ સાંભળીને સ્વામી જંબૂકુમાર બોલ્યા- “અરે મૂર્ખ! તું શું બકે છે? આ રાજાની સભામાં બેસીને રત્નચૂલની પ્રશંસા કરીને રાજા શ્રેણિકને હલકો પાડી રહ્યો છે. હે અજ્ઞાની! કામ પડયા વિના તને કેમ ખબર પડી કે રાજા શ્રેણિકની ત્યાં પહોંચ નથી. તું મૂંગો રહે, આવા વચન ફરીથી આ સભામાં બોલીશ હિં”
ત્યારે વિદ્યાધર કહેવા લાગ્યો-“હું કુમાર! તમે હજી બાળક છો. યુદ્ધના વિષયમાં અજાણ છો માટે ઉતાવળ કરવી યોગ્ય નથી, નકામો ખેદ ન કરો.”
આ સાંભળીને સ્વામીએ કહ્યું–“ અગ્નિનો નાનકડો તણખો પણ કાપ્ટસમૂહને ક્ષણમાત્રમાં ભસ્મીભૂત કરી નાખે છે, સિંહનું બચ્ચું પણ ક્ષણવારમાં મદોન્મત્ત હાથીનું કુંભસ્થળ વિદારી નાખે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com