________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
૫
કરવી એ પથ્થરમાં કમળ ઉગાડવાં જેવું છે. તાત્પર્ય એ છે કે સંસાર દુ:ખમય છે, એમાં સુખ રંચમાત્ર પણ નથી. જેમ કેળાનું થડ નિઃસાર છે, પાણીને વલોવવાથી તેમાંથી કાંઈ નીકળતું નથી, તે જ પ્રમાણે સંસાર અસાર છે. જે ભવ્ય જીવ સુખના અભિલાષી છે તેમણે સંસારનો ત્યાગ કરી ધર્મનું સેવન કરવુ જોઈએ. ધર્મ બે પ્રકારનો છે–એક સાગાર ( ગૃહસ્થો માટે ) જેને અણુવ્રત અથવા દેશવ્રત કહે છે. બીજો અણગાર (સાધુઓ માટે ) જેને મહાવ્રત અથવા સકળવ્રત પણ કહે છે. પહેલો પરપંરાએ સાચા સુખનું મોક્ષનું સાધન છે, બીજો સાક્ષાત્ મોક્ષનું સાધન છે. ”
!!
આ પ્રમાણે સ્વામીએ સંક્ષેપમાં સંસારદાનું સ્વરૂપ વર્ણવીને બે પ્રકારના ધર્મનું સ્વરૂપ વર્ણવ્યું. એટલામાં એક દેવ ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને પોતાની સભામાં જઈને બેઠો. તેની અપૂર્વ કાંતિ જોઈને રાજા શ્રેણિક ખૂબ આશ્ચર્ય પામીને પૂછવા લાગ્યા- હે સ્વામી! આ દેવ કોણ છે? ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો- “એ વિધુન્નાલી નામનો દેવ છે અને હવે તનું આયુષ્ય ત્રણ દિવસનું બાકી રહ્યું છે.” ત્યારે રાજાએ ફરીથી પૂછ્યું–“હે પ્રભો! જ્યારે દેવોનું આયુષ્ય છ મહિના બાકી રહી જાય છે ત્યારે માળા કરમાઈ જાય છે અને આ દેવનું આયુષ્ય ફકત ત્રણ જ દિવસ બાકી રહ્યું છે તો પણ તેની કાંતિ અનુપમ છે, તેથી હે પ્રભો ! કૃપા કરીને એનું વૃત્તાંત મને કહો.
,,
ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહેવાનું શરૂ કર્યું- “હૈ રાજન્! સાંભળ, આ જ દેશમાં વર્ધમાનપુર નામનું એક સુંદર નગર છે, ત્યાંનો રાજા મહીપાલ અત્યંત ધર્મધુરંધર અને ન્યાય નીતિ નિપુણ હતો. તેના રાજ્યમાં અનેક શાહુકારો રહેતા હતા. એવા ઉત્તમ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે મહામિથ્યાત્વી હતો અને લોકોને નિરંતર મિથ્યા ઉપદેશ આપીને, વિવાહ, શ્રાદ્ધાદિ કાર્યો કરાવીને પોતાની આજીવિકા ચલાવતો હતો. તેના બે પુત્રો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com