SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૨૧ ક્યાંય મળતાં નથી. એ સાંભળીને, જેમ અગ્નિમાં ઘી હોમાય ને ભડકો થાય તેમ રાજાનો ક્રોધ ભભૂકી ઊઠયો. ઝવેરીઓને કહ્યું કે કાંઈ ચિન્તા નહિ, દસ-વીસ દિવસમાં કે મહિનામાં ક્યાંયથી ગજમોતી મળે તો તપાસ કરો, તથા સૌ પોતાના ભંડારમાં પણ તપાસ કરો.-એમ કહીને ઝવેરીઓને વિદાય કર્યા. સોમદત્તની ચિન્તા; બુધસેનને દેશનિકાલ સોમદત્ત શેઠ ઘરે આવીને ચિન્તામાં પડ્યા, ને વિચારવા લાગ્યા કે અરે, હવે શું થશે ? રાજા નારાજ થયા છે, હવે થોડા દિવસ જ જીવશું. આવું શું કારણ બન્યું કે રાજાને ગજમોતીની હઠ લાગી ? ઘરમાં ગજમોતી સાચવીને રાજાથી બચવું મુશ્કેલ પડશે. મનોરમા-પુત્રવધૂ અત્યારે તો પિયર ગઈ છે પણ જ્યારે તે પાછી આવશે ત્યારે જિનમંદિરમાં તે ગજમોતી ચઢાવ્યા વગર રહેશે નહિ; અને રાજાને જ્યારે એ વાતની ખબર પડશે કે મારા ઘરમાં ગજમોતી હતાં, છતાં મેં ન આપ્યાં-ત્યારે તો તે મારી બધી લક્ષ્મી લૂંટી લેશે. અરે, આવી વહુ ઘરમાં ક્યાંથી આવી કે જેણે જિનદર્શનની આવી પ્રતિજ્ઞા લીધી?–આવા વિચારથી સોમદત્ત શેઠ મનમાં ને મનમાં જિનદર્શનની નિંદા કરવા લાગ્યા. એનાથી એને ઘોર પાપ લાગ્યું. જિનદર્શનની કે દેવ-ગુરુ-ધર્મની નિંદાથી ઘણું પાપ લાગે છે, જગતમાં ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તો પણ દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં દઢ રહેવું, ગમે તેવી મુશ્કેલી પડે તો પણ દેવગુરુ-ધર્મને ભૂલવા નહિ. Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy