________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૫ જ હતું કે થાકને લીધે શ્રીકૃષ્ણને ઊંઘ આવી ગઈ છે. શ્રીકૃષ્ણને જગાડવા તેણે હળવેથી કહ્યું - ઊઠોમૈયા! હું પાણી લઈને આવ્યો છું! પણ કોણ ઊઠે! કોણ બોલે ! ઘણો પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણ ન ઊઠ્યા...તેથી બળભદ્ર તેમને ખભે ઉપાડીને ચાલ્યા.
શ્રીકૃષ્ણના વિયોગથી છ માસ સુધી બલભદ્રનું ચિત્ત ખૂબ ઉગમાં રહ્યું. અંતે તેનો સારથી કે જે મરીને સિદ્ધાર્થદવ થયો હુતો –તેણે આવીને સંબોધન કર્યું કે હે મહારાજ ! જેમ રેતીમાંથી તેલ નથી નીકળતું, પત્થર ઉપર ચોખા નથી ઊગતા, મરેલો બળદ ઘાસ નથી ખાતો, તેમ મૃત્યુ પામેલ મનુષ્ય ફરીથી સજીવન થતો નથી, તમે તો જ્ઞાની છો, માટે શ્રીકૃષ્ણનો મોહ છોડો ને સંયમ ધારણ કરો.
સિદ્ધાર્થદવના સંબોધન વડે બળભદ્રનું ચિત્ત શાંત થયું ને સંસારથી વિરક્ત થઈ તેમણે જિનદીક્ષા લીધી; આરાધનાપૂર્વક સમાધિમરણ કરીને તેઓ સ્વર્ગમાં ગયા.
બીજી તરફ જરકુમાર પાસેથી દ્વારકા નગરીના નાશના, તથા શ્રીકૃષ્ણના મૃત્યુના સમાચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com