________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : જૈનધર્મની વાર્તાઓ
સાંભળીને પાંડવો એકદમ શોકમગ્ન થયા. તેમણે દ્વારકાનગરી ફરીથી નવી વસાવી અને શ્રીકૃષ્ણના ભાઈ જરત્કમાર (-કે જેના તીરથી શ્રીકૃષ્ણનું મૃત્યુ થયેલ ) તેને દ્વારિકાના રાજસિંહાસને બેસાડયા...તે વખતે નેમપ્રભુ તથા શ્રીકૃષ્ણના સમયની દ્વારકાનગરીની જાહોજલાલીનું સ્મરણ થતાં, અને હાલની દ્વારકાના બેહાલ જોતાં પાંડવો શોકાતુર બન્યાઃ તેઓ વૈરાગ્યથી એમ ચિંતવવા લાગ્યા કે અરે, આ દ્વારિકાનગરી દેવો દ્વારા રચાણી હતી છતાં તે પણ આજે બળીને ખાખ થઈ ગઈ. શ્રીકૃષ્ણ જ્યાં રાજ કરતા હતા, પ્રભુ નેમકુમાર જેની રાજસભામાં બિરાજતા હતા અને જ્યાં હંમેશા નવાનવા મંગલ ઉત્સવ થતા હતા તે નગરી આજે સુનસામ થઈ ગઈ. ક્યાં ગયા તે રુકમણિ વગેરે રાણીઓના સુંદર મહેલો ! અને ક્યાં ગયા તે હર્ષ ભરેલા પુત્રો વગેરે કુટુંબીજનો! ખરેખર કુટુંબ વગેરેનો સંયોગ ક્ષણભંગુર છે, તે તો વાદળાંની જેમ જોતજોતામાં વિલય થઈ જાય છે; સંયોગો તો નદીના વહેતા પ્રવાહ જેવા ચંચળ છે, તેને સ્થિર રાખી શકાતા નથી. સંસારની આવી વિનાશીક દશા દેખીને વિવેકી જીવ વિષયોના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com