SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ : જૈનધર્મની વાર્તાઓ સાંભળીને પાંડવો એકદમ શોકમગ્ન થયા. તેમણે દ્વારકાનગરી ફરીથી નવી વસાવી અને શ્રીકૃષ્ણના ભાઈ જરત્કમાર (-કે જેના તીરથી શ્રીકૃષ્ણનું મૃત્યુ થયેલ ) તેને દ્વારિકાના રાજસિંહાસને બેસાડયા...તે વખતે નેમપ્રભુ તથા શ્રીકૃષ્ણના સમયની દ્વારકાનગરીની જાહોજલાલીનું સ્મરણ થતાં, અને હાલની દ્વારકાના બેહાલ જોતાં પાંડવો શોકાતુર બન્યાઃ તેઓ વૈરાગ્યથી એમ ચિંતવવા લાગ્યા કે અરે, આ દ્વારિકાનગરી દેવો દ્વારા રચાણી હતી છતાં તે પણ આજે બળીને ખાખ થઈ ગઈ. શ્રીકૃષ્ણ જ્યાં રાજ કરતા હતા, પ્રભુ નેમકુમાર જેની રાજસભામાં બિરાજતા હતા અને જ્યાં હંમેશા નવાનવા મંગલ ઉત્સવ થતા હતા તે નગરી આજે સુનસામ થઈ ગઈ. ક્યાં ગયા તે રુકમણિ વગેરે રાણીઓના સુંદર મહેલો ! અને ક્યાં ગયા તે હર્ષ ભરેલા પુત્રો વગેરે કુટુંબીજનો! ખરેખર કુટુંબ વગેરેનો સંયોગ ક્ષણભંગુર છે, તે તો વાદળાંની જેમ જોતજોતામાં વિલય થઈ જાય છે; સંયોગો તો નદીના વહેતા પ્રવાહ જેવા ચંચળ છે, તેને સ્થિર રાખી શકાતા નથી. સંસારની આવી વિનાશીક દશા દેખીને વિવેકી જીવ વિષયોના Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy