________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૨ ] શ્રી કૃષ્ણનું મૃત્યુ અને પાંડવોનો વૈરાગ્ય
દ્વીપાયન ઋષિના ક્રોધ વડે દ્વારિકા નગરી સળગીને ભસ્મીભૂત થઈ ગઈ. શ્રીકૃષ્ણ અને બલભદ્ર જેવા મહાન પરાક્રમી યોદ્ધાઓ તે નગરીને તો ન બચાવી શક્યા પણ પોતાના માતા-પિતાનેય નગરીની બહાર ન કાઢી શક્યા. અરે જુઓ તો ખરા, આ સંસારની સ્થિતિ! એમાં પુણ્યનો પણ શો ભરોસો ! બળદેવ-વાસુદેવ જેવા મોટા પુણ્યવંત પુરુષો, જેમની પાસે ત્રણખંડનું રાજ્ય, સુદર્શનચક્ર વગેરે મહાન વૈભવ, અચિંત્ય શરીરબળ અને હજારો દેવો તેમજ રાજાઓ જેમની સેવા કરનારા, –એવા મહાન ભૂપતિઓ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી ને રાજ્યથી રહિત થઈ ગયા, દેવો દૂર ચાલ્યા ગયા, નગરી ને મહેલો બધુંય બળી ગયું. સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો; માત્ર પ્રાણ એ જ તેમનો પરિવાર રહ્યો...
દ્વારિકાનગરીને બળતી મૂકીને બળભદ્ર અને શ્રીકૃષ્ણે દક્ષિણદેશ તરફ જઈ રહ્યા છે, ત્યાં વચ્ચે કૌશામ્બી નામનું ભયંકર વન આવ્યું, ત્યાં ઝાંઝવાનાં જળ ઘણા દેખાય પણ સાચું પાણી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com