________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૩ જેમને શિર નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો પરિવાર રહ્યો, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્યા; - એવા તે બન્ને ભાઈઓ અત્યંત શોકના ભારથી અને જીવવાની આશાથી પાંડવો પાસે જવા દક્ષિણ મથુરા તરફ ચાલ્યા. - જેમને પોતે રાજ્યમાંથી કાઢી મૂકેલા તેમના જ શરણે જવાનો વારો આવ્યો. – અરે અસાર સંસાર! તેમાં પુણ્ય-પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીધ્ર આત્મહિતને સાધજે.
જન્મમાં કે મરણમાં, વળી સુખમાં કે દુ:ખમાં, સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો.
DE
F હૃD)
[ દ્વારકાનગરી ભસ્મીભૂત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ અને બળભદ્રનું શું થયું? તેમ જ પાંડવોનું શું થયું? તે હવેની કથામાં વાંચજો.]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com