________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : જૈનધર્મની વાર્તાઓ પરમ શ્રદ્ધા હતી; તેમણે પોતે સમ્યકત્વપૂર્વક પ્રભુના ચરણોમાં વિશુદ્ધ ધર્મભાવનાઓ ભાવીને તીર્થંકરપ્રકૃતિ બાંધી...ને ધર્માત્મા જીવોની સાધનામાં મહાન અનુમોદન કર્યું.
શ્રીકૃષ્ણની ધર્મઘોષણા સાંભળીને તેના પુત્રો પ્રધુમ્નકુમાર, ભાનુકુમાર વગેરે જે ચરમશરીરી હતા તેમણે તો જિનદીક્ષા લઈ લીધી; સત્યભામારુકિમણી જાંબુવતી વગેરે આઠ પટરાણી અને બીજી હજારો રાણીઓએ પણ નેમપ્રભુના સમવસરણમાં જઈ, રાજમતીના સંઘમાં દીક્ષા લીધી; દ્વારકાનગરની પ્રજામાંથી ઘણાં પુરુષો મુનિ થયા, ઘણી સ્ત્રીઓ આર્થિકા થઈ. શ્રીકૃષ્ણ બધાને પ્રેરણા આપતાં એમ કહ્યું કે-સંસાર સમાન કોઈ સમુદ્ર નથી, માટે સંસારને અસાર જાણીને નેમિનાથપ્રભુએ બતાવેલા મોક્ષમાર્ગનું શરણ લ્યો. મારે તો આ ભવમાં સંયમનો યોગ નથી, અને બળદેવને પણ મારા પ્રત્યે મોહને લીધે હમણાં મુનિવ્રત નથી, મારા વિયોગ પછી તે મુનિવ્રત ધારણ કરશે. તેથી બાકીના મારા બધા ભાઈઓ, યાદવો, અમારા વંશના રાજાઓ, કુટુંબીજનો ને ધર્મપ્રેમી પ્રજાજનો, સૌ આ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com