________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૯ નગરી, મહા દયાધર્મથી ભરેલી, ત્યાં માંસ-મદ્ય તો કેવા? જ્યાં નેમકુમાર રહેલા, અને જ્યાં બળદેવવાસુદેવનું રાજ્ય, ત્યાં માંસ-દારૂની વાત કેવી? પરંતુ, કર્મભૂમિ છે એટલે કોઈ પાપી જીવો ગુપ્તપણે કદાચ મધાદિનું સેવન કરતા હોય! –એમ વિચારી બળદેવ-વાસુદેવે દ્વારકાનગરીમાં ઘોષણા કરી કે કોઈ એ ઘરમાં મદ્યપાનની સામગ્રી રાખવી નહિ; જેની પાસે હોય તેણે તરત નગર બહાર ફેંકી દેવી. –આ સાંભળી જેમની પાસે મદ્યસામગ્રી હતી તેમણે તે કદંબવનમાં ફેંકી દીધી, ને ત્યાં તે સૂકાવા લાગી.
વળી શ્રીકૃષ્ણ દ્વારકાના બધા નરનારીઓને વૈરાગ્ય માટે ઘોષણા કરી, નગરીમાં ઢંઢેરો પીટાવ્યો, કે મારા પિતા-માતા-ભાઈ–બેન-પુત્ર પુત્રી-સ્ત્રી અને નગરના લોકો, જૈઓને વૈરાગ્ય ધરવો હોય તેઓ શીઘ્ર વૈરાગ્ય ધારણ કરો, શીધ્ર જિનદીક્ષા લઈને આત્મકલ્યાણ કરો, હું કોઈને નહિ રોકું હું પોતે વ્રત નથી લઈ શકતો, પણ દ્વારિકા નગરી દગ્ધ થઈ જાય તે પહેલાં જેમને પોતાનું કલ્યાણ કરવું હોય તે કરી લ્યો. તેમાં મારી અનુમોદના છે. શ્રીકૃષ્ણને જિનવચનોમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com