SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : જૈનધર્મની વાર્તાઓ તું જે ઉત્તમ માર્ગે જઈ રહ્યો છે તેમાં મારે શું કહેવાનું હોય ! બેટા! તું તારી સાધનામાં શીધ્ર સફળ થા.. ને સર્વજ્ઞ–પરમાત્મા થઈને વેલાવેલા અમને દર્શન દે! એ જ અભિલાષા છે. ધન્ય માતા!' એમ કહી, મસ્તક નમાવી, વરાંગકુમાર ત્યાંથી વિદાય થયો. વૈરાગી વરાંગને વનમાં જતા દેખીને લોકો આશ્ચર્યસહિત અનેકવિધ વાતો કરતા હતા. - એક મૂર્ખ મનુષ્ય કહ્યું – અરે, આ વરાંગરાજ બાલબુદ્ધિ છે; આશ્ચર્ય છે કે આવા મહાન રાજ-સુખોને છોડીને તે સ્વર્ગ-મોક્ષના સુખને ગોતવા વનમાં જાય છે! સ્વર્ગ-મોક્ષના સુખ કોણે જોયા છે! –કે તેને માટે આ પ્રત્યક્ષ મળેલા ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે! નહિ દેખેલા સુખને ખાતર આ મળેલા સુખોને પણ છોડ છે, તો તે બન્નેને ખોશે! મોક્ષસુખના નામે આ ભોળાજીવને કોઈએ ભરમાવ્યો છે! જ્યારે આટલા બધા ઇન્દ્રિયસુખો ઉપલબ્ધ છે-તો પછી બીજા કયા સુખને શોધવા વનમાં જાય છે! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy