________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૧ ત્યારે બીજા એક બુદ્ધિમાન સજ્જને તેને જવાબ આપતાં કહ્યું? અરે મૂઢ! એ વરાંગકુમાર મૂર્ખ નથી પણ તું મૂરખો છો. તને સ્વર્ગ-મોક્ષની શ્રદ્ધા નથી ને વિષયસુખની વૃદ્ધિ છે, તેથી તું આમ બકવાદ કરે છે. વિષયોથી પાર ચૈતન્યસુખની તને ખબર નથી. આ વરાંગે તો ઇન્દ્રિયવિષયોથી પાર એવા અતીન્દ્રિય સુખને અનુભવ્યું છે, મોક્ષસુખનો સ્વાદ સાક્ષાત્ ચાખ્યો છે, તેથી તે સુખની પૂર્ણતાને સાધવા માટે તે આ ઇન્દ્રિયસુખોને છોડીને વનમાં જાય છે. ઇન્દ્રિયસુખો તે કાંઈ ખરેખર સુખ નથી, દુઃખ જ છે. સાચું સુખ ધર્મસાધના વડે જ પમાય છે-એ વિશ્વવિખ્યાત સિદ્ધાંતને શું તું નથી જાણતો? સાંભળ
અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગ-પ્રસિદ્ધને.
આ વરાંગકુમાર કાંઈ ઇન્દ્રપદના ઇન્દ્રિયસુખને સાધવા નથી જતા; તે તો તેને પ્રાપ્ત હતા જ, પણ તેનાથી પાર અતીન્દ્રિય મોક્ષસુખને સાધવા જાય છે. પૂર્વે તીર્થકર ભગવંતો વગેરેએ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com