________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપદેશસિદ્ધાંત-રત્નમાલા પ્રાકૃતભાષામાં લખાયેલું આ પ્રાચીન શાસ્ત્ર ગુજરાતી અનુવાદ સાથે પહેલીવાર પ્રસિદ્ધ થાય છે. તેમાં શ્રાવકને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાસહિત કેવું સુંદર આચરણ હોય તેનું સુંદર શૈલીથી વર્ણન છે. તેનો થોડોક નમૂનો* જિનેન્દ્રભગવાનના ગુણરૂપી રત્નોનો મહા ભંડાર પામીને પણ મિથ્યાત્વ કેમ ન જાય? (ગા. 25) * જે ઘર-કુટુંબનો સ્વામી થઈને પણ મિથ્યાત્વની રુચિ ને પ્રશંસા કરે છે તેણે સમસ્ત કૂળને ભવસમુદ્રમાં ડુબાડ્યું. (ગા. 77). * જેમ અતિશય કીચડમાં ખેંચી ગયેલા ગાડાને બળવાન વૃષભ ધોરી-ધવલ બહાર કાઢે છે તેમ આ લોકમાં મિથ્યાત્વરૂપી કીચડમાં ચેલા પોતાના કુટુંબને તેમાંથી કોઈ ઉત્તમ વિરલા પુરુષ જ બહાર કાઢે છે. (ગા. 78) * આ શાસ્ત્રની 9 ગાથાઓનું, મોક્ષમાર્ગપ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ અવતરણ લીધું છે. -0 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com