________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૧ રાજા કીર્તિધરે પોતાના વૈરાગ્યના વિચાર મંત્રીઓને કહ્યા, મંત્રીઓએ કહ્યું: મહારાજ! તમારા વગર આ અયોધ્યા નગરીનું રાજ કોણ સંભાળશે? હજી તમે યુવાન છો... વળી જેમ તમારા પિતાએ તમને રાજ્યભાર સોંપીને પછી જિનદીક્ષા લીધી હતી, તેમ તમે પણ તમારા પુત્રને રાજ્ય સોંપીને પછી દીક્ષા લેજે. - આ પ્રમાણે મંત્રીઓએ વિનતિ કરી. આથી રાજાએ એવી પ્રતિજ્ઞા લીધી કે પુત્રનો જન્મ થવાના સમાચાર સાંભળું તે જ દિવસે તેનો રાજ્યાભિષેક કરીને હું મુનિવ્રત ધારણ કરીશ.
થોડા સમય બાદ, કીર્તિધર રાજાની રાણી સહદેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુકોશલ.”
પુત્રજન્મની વાત સાંભળશે તો રાજા દીક્ષા લઈ લેશે-એવી બીકને લીધે રાણી સહદેવીએ તે વાત છૂપાવી રાખી. થોડા દિવસ સુધી તો તે વાત રાજાથી ગુપ્ત રહી. પણ સૂરજ ઊગે તે કયાં સુધી છાનું રહે? તેમ પુત્રજન્મના ખુશખબર આખી અયોધ્યાનગરીમાં ફેલાઈ ગયા.. ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com