________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ : જૈનધર્મની વાર્તાઓ
[૪૧] સુકોશલ-રાજકુમારનો વૈરાગ્ય
[ વાઘણને વૈરાગ્ય અને આત્મબોધપ્રાપ્તિ ]
હમણાં તમે જેમના વૈરાગ્યની કથા વાંચી, તે વજબાહુનો નાનો ભાઈ પુરંદર, અયોધ્યાના રાજા થયો. તેણે પોતાના પુત્ર કીર્તિધરને રાજ્ય સૌપીને મુનિદીક્ષા લીધી. તે કીર્તિધરના પુત્રનું નામ સુકોશલ.
અયોધ્યાના રાજા કીર્તિધરનું ચિત્ત સંસાર ભોગોથી વિરક્ત હતું. તે ધર્માત્મા રાજપાટ વચ્ચે પણ સંસાર-ભોગોનું અસારપણું વિચારતા હતા, ને મુનિદશાની ભાવના ભાવતા હતા.
એક દિવસ ભરબપોરે આકાશમાં સૂર્યગ્રહણ દેખીને તેમનું ચિત્ત ઉદાસ થયું ને સંસારની અનિત્યતા વિચારવા લાગ્યાઃ અરે, આ સૂર્ય પણ રાહુ વડે ઢંકાઈ જાય છે, તો આ સંસારના ક્ષણભંગુર ભોગોની શી વાત! એક ક્ષણમાં વિનષ્ટ થઈ જશે. માટે તેનો મોહ છોડીને હું આત્મહિત માટે જિનદીક્ષા અંગીકાર કરીશ...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com