________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૫ ત્યાં તો, આ બધી વાતચીત સાંભળી રહેલા બીજા ર૬ રાજકુમારો પણ એક સાથે બોલી ઊઠયા કે અમે પણ વજકુમારની સાથે જ દીક્ષા લેશું! અને બીજીકોર મહિલાઓના ટોળામાંથી રાજરાણીઓનો પણ અવાજ આવ્યો કે અમે બધા પણ મનોદયાની સાથે અજિંકાવ્રત લઈશું.
બસ, ચારેકોર ખળભળાટ મચી ગયો. ગંભીર વૈરાગ્યનું વાતાવરણ ફેલાઈ ગયું. રાજસેવકો તો ગભરાટથી જોઈ જ રહ્યા છે કે આ બધું શું થઈ રહ્યું છે! આ બધા રાજકુમારોને તથા રાજરાણીઓને અહીં છોડીને એકલા એકલા રાજ્યમાં પાછા કઈ રીતે જવું? જઈને આ રાજકુમારોના માતા-પિતાઓને શું જવાબ દેવો ?
તેઓ મૂંઝાયા. છેવટે એક મંત્રીએ રાજપુત્રોને કહ્યું: હે કુમારો ! તમારી વૈરાગ્યભાવનાને ધન્ય છે... પણ અમને મુશ્કેલીમાં ન મૂકો. તમે અમારી સાથે પાછા ચાલો ને માતાપિતાની રજા લઈને પછી દીક્ષા લેજો...
વજબાહુકુમારે કહ્યું: અરે, સંસારબંધનથી છૂટવાનો આવો અવસર આવ્યો, ત્યારે માતા-પિતાને પૂછવા કોણ રોકાય? અમે ત્યાં આવીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com