________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : જૈનધર્મની વાર્તાઓ નથી પડતી. આયુષ્ય તો દરરોજ ઘટતું જાય છે, શરીર તો મેલનું ઘર છે, વિષયો તો પાપથી ભરેલા છે, તેમાં દુઃખ જ છે. આવા અપવિત્ર, અનિત્ય અને પાપમય સંસારનો મોહ શો? એ તો છોડવા યોગ્ય જ છે. વૃદ્ધાવસ્થાની રાહ જોઈને ધર્મમાં આળસ કરીને બેસી રહેવું–તે તો મૂર્ખતા છે. વહાલી વસ્તુનો વિયોગ ને અણગમતી વસ્તુનો સંયોગ સંસારમાં થયા જ કરે છે. સંસારમાં કર્મરૂપી શત્રુદ્વારા જીવની આવી દશા થાય છે, માટે આત્મધ્યાનરૂપી અગ્નિ વડે તે કર્મને ભસ્મ કરીને હું અવિનાશી મોક્ષપદ પ્રગટ કરીશ. હું રાજા ! તું પણ આ સંસારનો મોહ છોડીને મોક્ષ માટે ઉધમ કર. | મુનિવેશમાં રહેલા પોતાના મિત્ર મણિકેતુ દેવની વૈરાગ્યભરી વાત સાંભળીને સગર-ચક્રવર્તી સંસારથી ભયભીત તો થયો, પરંતુ ૬૦ હજાર પુત્રોના તીવ્ર સ્નેહને લીધે તે મુનિદશા લઈ ન શકયો. અરે, સ્નેહનું બંધન કેવું મજબુત છે! રાજાનો આવો મોહ દેખીને મણિકેતુદેવને ખેદ થયો; અને, હજી પણ આનો મોટું બાકી છે–એમ વિચારીને તે ચાલ્યો ગયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com