________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫ લાલસા મનુષ્યને પોતાના વચનથી યૂત કરાવી દે છે. સગર–ચક્રવર્તી તો આત્મજ્ઞાની છે, છતાં તે પણ ભોગાસક્તિને લીધે ચારિત્રદશા લેવા તૈયાર થતો નથી.
કેટલાક વખત પછી, તે મણિકતુદેવ ફરીને આ પૃથ્વી પર આવ્યો; પોતાના મિત્રને સંસારથી વૈરાગ્ય કરાવીને મુનિદશા અંગીકાર કરાવવા માટે આ વખતે તેણે બીજો ઉપાય વિચાર્યો. તેણે ચારણ ઋદ્ધિધારી નાનકડા મુનિનું રૂપ ધારણ કર્યું. એ તેજસ્વી મુનિરાજ અયોધ્યા નગરીમાં આવ્યા અને સગર-ચક્રવર્તીના ચૈત્યાલયમાં જિનેન્દ્ર ભગવાનને વંદન કરીને સ્વાધ્યાય કરવા બેઠા. એવામાં ચક્રવર્તી તે ચેત્યાલયમાં આવ્યો અને તેણે મુનિરાજને દેખ્યા; મુનિને જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું, અને ભક્તિથી નમસ્કાર કરીને પૂછયુંપ્રભુ! આવું અદ્દભુત રૂપ, અને આવી નાની અવસ્થામાં આપે મુનિપદ કેમ લીધું?
ત્યારે અત્યંત વૈરાગ્યથી તે ચારણમુનિરાજે કહ્યું છે રાજા ! દેહનું રૂપ તો પુદ્ગલની રચના છે, ને આ યુવાનીનો કાંઈ ભરોસો નથી; યુવાની મટીને બુઢાપો કયારે આવી જાય છે તે ખબર પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com