________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૧૯ ભાવો, તેમાં સુખને માટે ગમે તેટલા ઝાવાં નાખે, તેથી જીવને કાંઈ સુખ મળે નહિ; અંતરની દષ્ટિથી
ચૈતન્યવહુને ઓળખે તો જ સુખી થાય. * જેમ વાર્તાનો સિંહ એ જંગલનો રાજા છે તેમ છે
જીવ! તું ત્રણ લોકમાં મહાન એવો ચૈતન્ય-રાજા છો. સિં–રાજા પોતાનું ખરું સ્વરૂપ ભૂલ્યો ને છાયાને સિંહ માની લીધો તેથી તે કુવામાં પડીને દુ:ખી થયો. તેમ ચૈતન્યસ્વરૂપ જીવ-રાજા પોતાનું
સ્વરૂપ ભૂલ્યો ને રાગાદિ પર ભાવને પોતાનું સ્વરૂપ માન્યું તેથી ભવના કુવામાં પડ્યો.. પણ હવે દેહથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં તે સિંહું જેવો પરાક્રમી થઈને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પ્રગટ કરે છે, ને ત્રણ લોકનો રાજા–પરમાત્મા થાય છે. ભેદજ્ઞાન વડે જીવ “સિંહરાજ' માંથી “સિદ્ધ-રાજ' બની જાય
છે; પશુમાંથી પરમાત્મા થઈ જાય છે.
માટે ભેદજ્ઞાન કરો.
|
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com