________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૯૫ આવિર્ભત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે. ૪૦૧ પ્ર. વેદના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છે:- સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. ૪૦૨ પ્ર. કષાય કોને કહે છે?
ઉં. જે આત્માના સમ્યકત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્રરૂપ પરિણામોને ઘાતે તેને કષાય કહે છે. ૪૦૩ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ ભેદ છે. અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય ૪ અને સંજ્વલન ૪. ૪૦૪ પ્ર. જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. મતિ, શ્રુત, અવધિ મન:પર્યય, કેવલ તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. ૪૦૫ પ્ર. સંયમ કોને કહે છે?
ઉ. અહિંસાદિક પાંચ વ્રત ધારણ કરવાને, ઈર્યાપથ આદિ પાંચ સમિતિઓના પાળવાને, ક્રોધાદિકષાયોનો નિગ્રહુ કરવાને, મનોયોગાદિક ત્રણે યોગોને રોકવાને તથા સ્પર્શન આદિ પાંચે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com