SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ ] ફરીને નિગોદમાં ઉત્પન્ન થાય તેને ઈતરનિગોદ કહે છે. ૩૯૭ પ્ર. બાદર અને સૂક્ષ્મ કયા કયા જીવ છે ? ઉ. પૃથિવી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ ઈતરનિગોદ–એ છ બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારના હોય છે. બાકીના સર્વે જીવ બાદર જ હોય છે, સૂક્ષ્મ હોતા નથી. ૩૯૮ પ્ર. યોગ કોને કહે છે ? [ અધ્યાય : ૩ ઉ. પુદ્દગલવિપાકી શરી૨ અને અંગોપાંગનામા નામકર્મના ઉદયથી મનોવર્ગણા, તથા વચનવર્ગણા તથા કાયવર્ગણાના અવલંબનથી, કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની જીવની શક્તિવિશેષને ભાવયોગ કહે છે. તે જ ભાવયોગના નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને) દ્રવ્યયોગ કહે છે. ૩૯૯ પ્ર. યોગના કેટલા ભેદ છે ? ઉ. પંદર છે:- મનોયોગ ૪, વચનયોગ ૪, અને કાયયોગ ૭. ૪૦૦ પ્ર. વેદ કોને કહે છે ? ઉ. નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના ઉદયથી Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy