________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[અધ્યાય : ૩ ઉ. જે પોતે પૃથિવી આદિકથી રોકાય નહિ અને બીજા પદાર્થોને રોકે નહિ તેને સૂક્ષ્મ કહે છે. ૩૮૭ પ્ર. વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છે. પ્રત્યેક અને સાધારણ. ૩૮૮ પ્ર. પ્રત્યેક વનસ્પતિ કોને કહે છે?
ઉ. એક શરીરનો જે એક જ સ્વામી હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. ૩૮૯ પ્ર. સાધારણ વનસ્પતિ કોને કહે છે?
ઉ. જે જીવોના આહાર શ્વાસોચ્છવાસ, આયુ, અને કાય એ સાધારણ (સમાન અથવા એક) હોય તેને સાધારણ વનસ્પતિ કહે છે. જેમકે:- કંદમૂલાદિક. ૩૯૦ પ્ર. પ્રત્યેક વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. ૩૯૧ પ્ર. સપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિના આશ્રય અનેક સાધારણ વનસ્પતિ શરીર હોય તેને સપ્રતિષ્ઠિતપ્રત્યેક વનસ્પતિ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com