________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૮૯ ૩૭૨ પ્ર. ભાવેન્દ્રિય કોને કહે છે?
ઉ. લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે. ૩૭૩ પ્ર. લબ્ધિ કોને કહે છે?
ઉ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. ૩૭૪ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામવિશેષને ઉપયોગ કહે છે. ૩૭૫ પ્ર. દ્રવ્યન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, અને શ્રોત્ર. ૩૭૬ પ્ર. સ્પર્શન ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા આઠ પ્રકારના સ્પર્શી (શીત, ઉષ્ણ, રુક્ષ, ચિકણ, કઠોર, કોમલ, હલકા, ભારે) નું જ્ઞાન થાય તેને સ્પર્શેન્દ્રિય કહે છે. ૩૭૭ પ્ર. રસના ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના (તીખો, કડવો, કષાયલો, ખાટો, મીઠો) રસોના સ્વાદનું જ્ઞાન થાય તેને રસનેન્દ્રિય કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com