________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ અધ્યાય : ૩ બાહ્યનિવૃત્તિ કહે છે. ૩૬૭ પ્ર. આત્યંતર નિવૃત્તિ કોને કહે છે?
ઉ. આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર રચનાવિશેષને આત્યંતર નિવૃત્તિ કહે છે. ૩૬૮ પ્ર. ઉપકરણ કોને કહે છે?
ઉ. જે નિવૃત્તિનો ઉપકાર( રક્ષા) કરે, તેને ઉપકરણ કહે છે. ૩૬૯ પ્ર. ઉપકરણના કેટલા ભેદ છે?
ઉ. બે છે. આત્યંતર અને બાહ્ય. ૩૭૦ પ્ર. આત્યંતર ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્ર, ઇન્દ્રિયોમાં કૃષ્ણ શુકલ મંડલની માફક સર્વે ઇન્દ્રિયોમાં જે નિવૃત્તિનો ઉપકાર કરે, તેને આત્યંતર ઉપકરણ કહે છે. ૩૭૧ પ્ર. બાહ્ય ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્ર-ઇન્દ્રિયમાં પલક વગેરેની માફક જે નિવૃત્તિનો ઉપકાર કરે, તેને બાહ્યોપકરણ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com