________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[ અધ્યાય : ૨ ઉ. સ્થિતિ પૂરી કર્યા વિના જ કર્મના ફળ આવવાને ઉદીરણા કહે છે. ૨૬૧ પ્ર. ઉપશમ કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી કર્મની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. ર૬૨ પ્ર. ઉપશમના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- અંતઃકરણરૂપ ઉપશમ અને સદવસ્થારૂપ ઉપશમ. ૨૬૩ પ્ર. અંત:કરણરૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મના પરમાણુઓને આગળ પાછળ ઉદય આવવા યોગ્ય કરવાં તેને અંત:કરણરૂપ ઉપશમ કહે છે. ર૬૪ પ્ર. સદવસ્થારૂપ ઉપશમ કોને કહે છે?
ઉ. વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદય આવવાવાળાં કર્મોનું સત્તામાં રહેવું તેને સદવસ્થારૂપ ઉપશમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com